પીએમ મોદી બિમ્સટેક સમિટમાં ભાગ લેવા માટે નેપાળ રવાના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય નેપાળ યાત્રા પર આજે રવાના થયા છે. તેઓ ત્યાં યોજાનાર 14 માં બિમસ્ટેક સમિટમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય નેપાળ યાત્રા પર આજે રવાના થયા છે. તેઓ ત્યાં યોજાનાર 14 માં બિમસ્ટેક સમિટમાં ભાગ લેશે. આ સંમેલન નેપાળના કાઠમંડુમાં આયોજિત કરવામાં આવી રહ્યુ છે. પીએમ મોદી બે ઓફ બંગાલ ઈનીશિએટીવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો ઓપરેશનની બેઠકમાં તમામ મુદ્દાઓ પર વાત કરશે. આ સમિટમાં આતંકવાદ, સુરક્ષાના વિવિધ પરિમાણો, ડ્રગ્ઝની હેરાફેરી, સાઈબર ક્રાઈમ, કારોબાર સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

પીએમ મોદીની ચોથી નેપાળ યાત્રા
બે દિવસ ચાલનારી આ સમિટમાં સભ્ય દેશો એકબીજાના સહકારને વધુ સારા અને મજબૂત કરવા પર જોર આપશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીની આ ચોથી નેપાળ યાત્રા છે. વર્ષ 2014 માં પીએમ બન્યા બાદ જ નરેન્દ્ર મોદી નેપાળ ગયા હતા. આ પહેલા 17 વર્ષ કોઈ પ્રધાનમંત્રી નેપાળ ગયુ નહોતુ. પીએમ મોદીની નેપાળ યાત્રાથી પહેલા જ કાઠમંડુ એરપોર્ટ પર બુલેટ પ્રૂફ ગાડી અને કમાન્ડોની એક ટોળી પહોંચી ચૂકી છે.
ઘણા મુદ્દાઓ પર થશે
સાત દેશોના બિમસ્ટેક જૂથમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડ શામેલ છે. વિદેશ મંત્રાલય તરફથી આ સમિટ વિશે કહેવામાં આવ્યુ છે કે આ તમામ સભ્ય દેશો માટે આ સમિટ ઘણી મહત્વપૂર્ણ છે. ગોવામાં 2016 માં થયેલી બેઠકમાં આતંકવાદ મહત્વનો મુદ્દો હતો. આ વખતે આતંકવાદ સહિત આતંકવાદી સંગઠનોના નેટવર્કને કેવી રીતે ખતમ કરવામાં આવે તેના પર ચર્ચા થશે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે આતંકને શરણ આપનારા દેશોની જવાબદારી નક્કી કરવા સાથે તેમની સામે કઠોર કાર્યવાહીની જરૂર છે.
દ્વિપક્ષીય વાતચીત પણ થઈ શકે
માનવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રી મોદી બિમ્સટેકમાં દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લઈ શકે છે. આજનો આખો દિવસ બિમ્સટેક જૂથના નેતાઓ બેઠક કરશે જ્યારે બપોરે સત્ર સમાપ્ત થઈ જશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભોજ થશે. જ્યારે 31 ઓગસ્ટે તમામ દેશો એકબીજા સાથે મુલાકાત અને બેઠક કરશે અને બપોરે બિમ્સટેકનું સમાપન થશે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
