આ વર્ષે ભગવાન શિવના ધામ કેદારનાથમાં દિવાળી મનાવશે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે દિવાળી કેદારનાથમાં મનાવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો મુજબ પીએમ મોદી 6 નવેમ્બરે કેદારનાથની યાત્રા કરી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે દિવાળી કેદારનાથમાં મનાવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો મુજબ પીએમ મોદી 6 નવેમ્બરે કેદારનાથની યાત્રા કરી શકે છે. પરંતુ તેમની યાત્રા અંગે હજુ સુધી કોઈ અધિકૃત એલાન થયુ નથી. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ જ્યારે વર્ષ 2014માં પીએમ બન્યા હતા ત્યારે તે વર્ષે તેમણે જવાનો સાથે દિવાળી મનાવી હતી.

ગયા વર્ષે પણ પીએમ મોદી જમ્મુ કાશ્મીરના ગુરેજ સ્થિત બીએસએફ પોસ્ટ પર તૈનાત જવાનો સાથે દિવાળી મનાવી હતી. ત્યારબાદ તે કેદારનાથમાં વિકાસ કાર્યોનું ઉદઘાટન કરવા પણ પહોંચ્યા હતા. વળી, વર્ષ 2016માં પીએમ મોદી હિમાચલ ગયા હતા જ્યાં તેમણે આઈટીબીપી અને આર્મીના જવાનો સાથે દિવાળી મનાવી હતી. તે ઉપરાંત 2015માં દિવાળીના પ્રસંગે પીએમ મોદી અમૃતસર પહોંચ્યા હતા. જ્યાં તે ખાસાના ડોગરાય મેમોરિયલ પણ પહોંચ્યા હતા.
Prime Minister Narendra Modi to spend the festival of #Diwali in Kedarnath: Sources (File pics) pic.twitter.com/IsisvL2OJM
— ANI (@ANI) 5 November 2018
આ પરિયોજનાઓનું કરી શકે છે લોકર્પણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી કેદારનાથમાં ચાલી રહેલી કેટલીક પરિયોજનાઓનું ઉદઘાટન પણ કરી શકે છે. જો કે ચૂંટણીના કારણે ત્યાં આચાર સંહિતા લાગેલી છે એટલા માટે ઉદઘાટનની સંભાવના ઓછી છે. તમને જણાવી દઈએ કે સંરક્ષણ મંત્રી સીતારમણ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ આ વખતે દિવાળી જવાનો સાથે મનાવશે.












Click it and Unblock the Notifications
