આચાર્યએ સ્કૂલમાંથી કાઢી મૂક્યો તો વિદ્યાર્થીએ ધરબી દીધી ગોળી
ઉત્તર પ્રદેશના બિજનોરમાં 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ આચાર્યને ગોળી મારી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી વિદ્યાર્થી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઉત્તર પ્રદેશના બિજનોરમાં 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ આચાર્યને ગોળી મારી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી વિદ્યાર્થી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે અને કૉલેજના સ્ટાફે આચાર્યને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા છે. આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વિદ્યાર્થીએ આચાર્ય પર ગોળી ચલાવી
બિજનોરના નારાવલી ગામના વિદ્યાર્થી દીપાંશુએ આ વર્ષે શ્રી સાઈ ઈન્ટર કૉલેજ રાપપુરમાં 10મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. એડમિશન મળ્યાની સાથે જ દીપાંશુએ અન્ય વિદ્યાર્થીઓ સાથે ઝઘડા અને મારપીટ શરૂ કરી દીધી હતી. ત્યારે કોલેજના આચાર્ય સંજીવ કુમારે તેને બોલાવી ચેતાવણી આપતાં ઝઘડા ન કરવાની ચેતવણી આપી હતી પણ દીપાંશુ ન જ સુધર્યો.

ઘટના સ્થળેથી વિદ્યાર્થી થયો ફરાર
25 ઓગસ્ટે પણ તેણે કોલેજના એક વિદ્યાર્થી સાથે મારપીટ કરી હતી. જેને પગલે કોલેજ સ્ટાફની બેઠક બાદ વિદ્યાર્થીને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ વાતથી નારાજ દીપાંશુએ બુધવારે આચાર્ય સંજીવ કુમાર પર ગોળી ચલાવી દીધી હતી. માથામાં અને ખભા પર ગોળી લાગવાથી સંજીવ કુમાર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. સ્કૂલમાં ગોળી ચાલતાં જ હડકંપ મચી ગયો હતો. ઘટના બાદ દીપાંશુ ત્યાંથી ભાગી ગયો હતો.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
સ્ટાફે પોલીસની મદદથી આચાર્યને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. આચાર્યની ફરિયાદના આધારે આરોપી વિદ્યાર્થી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કહ્યું કે ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
