સરકારે આપ્યા સંકેત- અમુક દિશાનિર્દેશો સાથે જલદી જ શરૂ થઈ શકે પબ્લિક ટ્રાન્સપોર્ટ
સરકારે આપ્યા સંકેત- અમુક દિશાનિર્દેશો સાથે જલદી જ શરૂ થઈ શકે પબ્લિક ટ્રાન્સપોર્ટ
નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે સરકારે આ સંકેત આપ્યા છે, અમુક દિશા નિર્દેશો સાથે સાર્વજનિક પરિવહનને જલદી જ શરૂ કરવામમાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના બસ અને કાર ઓપરેટરોને આશ્વાસન આપ્યું છે કેસરકાર તેમની સમસ્યાઓ વિશે સંપૂર્ણપણે જાગરૂક ચે અને તેમના મુદ્દાનું સમાધાન કરવામાં તેમનું પૂરું સમર્થન કરશે.
વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી બસ અને કાર ઓપરેટર્સ કંફેડરેશન ઑફ ઈન્ડિયાના સભ્યોને સંબોધિત કરતા નીતિન ગડકરીએ કહ્યું કે પરિવહન અને રાજ્યમાર્ગો ખોલવા જનતા વચ્ચે વિશ્વાસ પેદા કરવામાં આક લાંબી સફર નક્કી કરશે. તેમણે કહ્યું કે જલદી જ કેટલાક દિશાનિર્દેશો સાથે સાર્વજનિક પરિવહન ખુલી શકે છે. જો કે તેમણે બસ અને કાર સંચાલન દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ બનાવી રાખવા અને હેન્ડ વોશ, સેનિટાઈઝર, ફેસ માસ્ક જેવા તમામ સુર7ા ઉપાયોને અપનાવવા પ્રત્યે આગ્રહ કર્યો.
જસ અને કાર ઓપરેટર્સ કંફેડરેશન ઑફ ઈન્ડિયાના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલ ચિંતાઓનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે તેમનું મંત્રાલય સાર્વજનિક પરિવહનના લંડન મોડેલને અપનાવવા માંગે છે, જ્યાં સરકારી ધન ઓછામાંઓછું ચે અને ખાનગી રોકાણને ઉત્તેજન આપવામાં આવે છે. તેમમે ભારતીય બસ અને ટ્રક એકમોના ખરાબ વલણ તરફ પણ ઈશારો કર્યો. ગડકરીએ તેમની સારી પ્રથા અપનાવવા પર જોર આપ્યું, જે લાંબા સમયમાં સ્વદેશી ઉદ્યોગ માટે આર્થિક રૂપે વ્યવહારલાયક હોય.
સંક્રમિત યાત્રીઓને લઈ ઉડતું રહ્યું આ કંપનીનું વિમાન, કેટલાય દેશમાં Coronavirus ફેલાવ્યો