પાકિસ્તાને પુલવામા આતંકી હુમલામાં હાથ હોવાનો કર્યો ઈનકાર, ‘આ ગંભીર ચિંતાનો વિષય'

જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે બપોરે થયેલા મોટા આત્મઘાતી હુમલામાં પોતાનો હાથ હોવાનો પાકિસ્તાને ઈનકાર કર્યો છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે બપોરે થયેલા મોટા આત્મઘાતી હુમલાએ સમગ્ર દેશને ઝંઝોડી દીધુ છે. આ આતંકી હુમલામાં 44 જવાન શહીદ થઈ ગયા. પુલવામામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. જૈશનો આતંકી આદિલ અહેમદ ઉર્ફે વકાસ વિસ્ફોટકો ભરેલી ગાડી લઈને જવાનોની બસ સાથે ટકરાઈ ગયો અને જોતજોતામાં આ હુમલામાં 44 સીઆરપીએફ જવાન શહીદ થઈ ગયા. બીજી તરફ આ આતંકી હુમલામાં પોતાનો હાથ હોવાનો પાકિસ્તાને ઈનકાર કર્યો છે.

indian army

પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતીય મીડિયા અને સરકાર તરફથી તપાસ કર્યા વિના પુલવામા આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને દોષી ગણવાની કોશિશ કરવામાં આવી રહી છે. અમે આ આરોપને ફગાવી દઈએ છે. પાકિસ્તાન સરકારે કહ્યુ કે કાશ્મીરના પુલવામામાં હુમલો એક ગંભીર ચિંતાનો વિષય છે.

પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યુ છે, 'અમે દુનિયામાં ક્યાંય પણ આવા હુમલાની હંમેશા નિંદા કરી છે. અમે ભારતીય મીડિયા અને સરકારના આરોપોને ફગાવીએ છીએ જે કોઈ તપાસ વિના પાકિસ્તાનને પુલવામા હુમલાથી જોડવા ઈચ્છે છે.' જૈશ આતંકી મૌલાના મસૂદ અઝહરને શરણ આપવા માટે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. પુલવામા આતંકવાદી હુમલા અંગે ભારતે પાકિસ્તાનને આતંકવાદીઓને મદદ કરવાનું બંધ કરવા અને તેની જમીન પરથી સંચાલિત થઈ રહેલ આતંકવાદી છાવણીઓને નેસ્તનાબુદ કરવાની માંગ કરી છે.

ગુરુવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં ઉંઘ ઉડાવનાર આતંકી હુમલામાં 44 જવાન શહીદ થઈ ગયા છે. આ બધા જવાન પોતાની રજા પૂરી કરી ફરજ પર પાછા આવી રહ્યા હતા. જૈશ-એ-મોહમ્મદના હુમલાખોરે જવાનોના કાફલાને નિશાન બનાવ્યુ અને જોતજોતામાં આ હુમલો ઘાટીમાં થયેલ સૌથી મોટા આતંકી હુમલામાં ફેરવાઈ ગયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X