પંજાબના આપ નેતાઓ પર 52 મહિલાઓએ લગાવ્યો યૌનશોષણનો આરોપ
આમ આદમી પાર્ટી આજકાલ પોતાના નેતાઓના કેરેક્ટરને કારણે ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીની મુસીબતો પુરી થવુંનું નામ જ નથી. દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સંદીપ કુમારના સેક્સ સ્કેન્ડલથી પાર્ટી હજુ બહાર આવી જ ના હતી. ત્યાં જ પંજાબમાં એક આમ આદમી પાર્ટીના નેતા પર નોકરાણી સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો.
આ બંને કેસ હજુ પુરા નથી થયા ત્યાં જ વધી એક નવી ખબર આવી રહી છે, જે આમ આદમી પાર્ટીની પંજાબમાં મુસીબત વધારી દેશે.
પંજાબની એક મહિલા નેતા અને પાર્ટીની પૂર્વ કન્વીનરએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર 52 મહિલા કાર્યકર્તાઓ સાથે યૌનશોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.
અમનદીપ કૌર નામની આ મહિલા ફિરોઝપુરની રહેવાવાળી છે અને તેને દાવો કર્યો છે કે તેની પાસે 52 મહિલાઓની લેખિતમાં ફરિયાદ છે. જેમાં તેમને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમની સાથે થવાવાળા અન્યાય વિરુદ્ધ અવાઝ ઉઠાવ્યો છે. આ 52 મહિલાઓમાં તે પોતે પણ શામિલ છે જેમનું યૌનશોષણ થયું છે.
આ મહિલાનું કહેવું છે કે મહિલાઓ પર પાર્ટીમાં થતા શોષણ વિરુદ્ધ તેમને પાર્ટીના હાઈ કમાન્ડ પાસે મદદ માંગી હતી. પરંતુ પાર્ટીએ મદદ કરવાને બદલે આખો મામલો દબાવી દેવામાં રસ દાખવ્યો. મહિલાએ કહ્યું કે પાર્ટીમાં સંદીપ કુમાર જેવા ઘણા દાનવો છે.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ પ્રેસ કોન્ફ્રન્સમાં પાર્ટી ઓબ્જેર્વર વિજય ચૌહાણ પર નોકરાણી સાથે બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે વિજય ચૌહાણે બળાત્કાર કર્યા પછી નોકરાણીને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પાર્ટી વિધાયક દેવેન્દ્ર સહરાવતે હાલમાં જ અરવિંદ કેજરીવાલને પત્ર લખીને ટિકિટના બદલે મહિલાઓનું યૌનશોષણ કરવાનો પંજાબના મોટા નેતાઓ પર આરોપ લગાવ્યો હતો.