પંજાબ: કૃષિ મંત્રીએ પુરા કરાવ્યા ડલ્લેવાલના આમરણ ઉપવાસ, ખેડૂતોએ જતાવી સહેમતી
ભારતીય કિસાન યુનિયન (એકતા સિદ્ધુપુર)ના વડા જગજીત સિંહ ડલ્લેવાલે, જે ખેડૂતોની માંગણીઓ માટે આમરણાંત ઉપવાસ પર છે, ગુરુવારે પંજાબના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું કે લાંબી બેઠકો પછી વિવિધ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ તે પછી
ભારતીય કિસાન યુનિયન (એકતા સિદ્ધુપુર)ના વડા જગજીત સિંહ ડલ્લેવાલે, જે ખેડૂતોની માંગણીઓ માટે આમરણાંત ઉપવાસ પર છે, ગુરુવારે પંજાબના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું કે લાંબી બેઠકો પછી વિવિધ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ તે પછી ગુરુવારે ઉપવાસ પુરા કર્યા હતા. મોડી રાત્રે ફરીદકોટમાં વિરોધ સ્થળ પર પહોંચેલા કૃષિ પ્રધાન ધાલીવાલે ડલ્લેવાલને જ્યુસ પીવડાવ્યુ હતુ, જેની સાથે તેમણે આમરણાંત ઉપવાસનો અંત લાવ્યો હતો.

ડલ્લેવાલે કહ્યું કે પંજાબના 6 વિસ્તારોમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધને તાત્કાલિક અસરથી ખતમ કરવામાં આવશે. કૃષિ મંત્રીએ કહ્યું કે આજે અમારી લાંબી બેઠક થઈ હતી. ખુશી છે કે અમે સર્વસંમતિ પર પહોંચ્યા છીએ. ભારતીય કિસાન યુનિયન એકતા સિદ્ધુપુરના જિલ્લા વડા બોહદ સિંહે કહ્યું કે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત કિસાન મોરચાના નેતાઓને બાબા ફરીદ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં બોલાવવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
