ટોચના લોકો નબળા CM ઈચ્છે છે, જે તેમના ઈશારા પર કામ કરે : નવજોત સિંહ સિદ્ધુ
પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોંગ્રેસમાં હોબાળો મચી ગયો છે. એક તરફ જ્યાં પાર્ટી દ્વારા હજૂ સુધી એ જાહેરાત કરવામાં આવી નથી.
Punjab Assembly Election 2022 : પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોંગ્રેસમાં હોબાળો મચી ગયો છે. એક તરફ જ્યાં પાર્ટી દ્વારા હજૂ સુધી એ જાહેરાત કરવામાં આવી નથી કે, ચૂંટણી બાદ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે.
બીજી તરફ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડનું કહેવું છે કે, ચરણજીત સિંહ ચન્ની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નામાંકિત મુખ્યમંત્રીને વધુ સમય મળવો જોઈએ, પરંતુ આ બધાની વચ્ચે પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું છે કે, રાજ્યની જનતા નક્કી કરશે કે તેમનો મુખ્યમંત્રી કોણ હશે.
લોકો પસંદ કરશે પંજાબના મુખ્યમંત્રી
સુનીલ જાખડના નિવેદન પર સિદ્ધુએ કહ્યું કે, તે સુનીલ જાખડ પર નિર્ભર છે કે તેઓ જે કહેવા માંગે છે તે કહે, પરંતુ આગામી મુખ્યમંત્રી કોણ હશે તે તેમના કે મારાહાથમાં નથી. લોકો તેમના ધારાસભ્ય અને મુખ્યમંત્રીને પસંદ કરશે. આપણે સામાન્ય લોકોનો મુદ્દો ઉઠાવવો પડશે. નોંધનીય છે કે, સુનીલ જાખરે કહ્યું હતું કે, હાઈકમાન્ડજે નિર્ણય લેશે તેને બધા સ્વીકારશે, પરંતુ મારા મતે ચન્નીજીને તક આપવામાં આવી છે, તેમણે તેમના કામને આગળ વધારવા માટે સમય આપવો જોઈએ. ચારમહિનામાં તેનું સારું કામ લોકોએ જોયું છે.
લોકો પસંદ કરશે પંજાબના મુખ્યમંત્રી
સુનીલ જાખડના નિવેદન પર સિદ્ધુએ કહ્યું કે, તે સુનીલ જાખડ પર નિર્ભર છે કે તેઓ જે કહેવા માંગે છે તે કહે, પરંતુ આગામી મુખ્યમંત્રી કોણ હશે તે તેમના કે મારાહાથમાં નથી. લોકો તેમના ધારાસભ્ય અને મુખ્યમંત્રીને પસંદ કરશે. આપણે સામાન્ય લોકોનો મુદ્દો ઉઠાવવો પડશે.
નોંધનીય છે કે, સુનીલ જાખરે કહ્યું હતું કે, હાઈકમાન્ડજે નિર્ણય લેશે તેને બધા સ્વીકારશે, પરંતુ મારા મતે ચન્નીજીને તક આપવામાં આવી છે, તેમણે તેમના કામને આગળ વધારવા માટે સમય આપવો જોઈએ. ચારમહિનામાં તેનું સારું કામ લોકોએ જોયું છે.
જાખડના નિવેદનથી મચ્યો હોબાળો
વાસ્તવમાં સુનીલ જાખરે કહ્યું હતું કે, કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસના 79 માંથી 42 ધારાસભ્યો ઈચ્છતા હતા કે, મને મુખ્યમંત્રી બનાવવામાં આવે,જ્યારે માત્ર બે ધારાસભ્યો ઈચ્છે છે કે, ચન્નીને મુખ્યમંત્રી બનાવવામાં આવે.
એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસ ટૂંક સમયમાં પંજાબમાં મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાતકરી શકે છે, પરંતુ જાહેરાત પહેલા નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌરે કહ્યું કે, મારા પતિ હીરો છે, પાર્ટી ચૂંટણીમાં પોતાનો ચહેરો કોને બનાવે તેનાથી કોઈ ફરકપડતો નથી.
કોંગ્રેસ 6 તારીખે મુખ્યમંત્રીના ચહેરો જાહેર કરશે
ચરણજીત સિંહ ચન્નીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, પાર્ટી 6 ફેબ્રુઆરીએ રાજ્યમાં મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરશે. આ બધાની વચ્ચે શિરોમણી અકાલી દળના નેતાબિક્રમ મજીઠિયા અમૃતસરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે, જેના પર નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, અમારી લડાઈ બિક્રમ મજીઠિયા સાથે નહીં, પરંતુ સુખબીર સિંહ બાદલસાથે છે.
કેટલાક ચોર ભેગા થયા છે અને તેમને ડર છે કે, જો સિદ્ધુ આવશે તો આ લોકો ખુલ્લા પડી જશે.ઉલ્લેખનીય છે કે, પંજાબમાં 20 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે,જેની મતગણતરી 10 માર્ચના રોજ થશે.