Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 200 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા

પંજાબની ભગવંત માન સરકાર રાજ્યના યુવાનોને રોજગારી આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ ક્રમમાં મુખ્યમંત્રીએ 200 જેટલા યુવાનોને નિયુક્તિ પત્રો આપ્યા છે. ભગવંત માને નિયુક્તિ પત્રો આપતા કહ્યું કે, સરકાર ખાલી પદો ભરી રહી છે.

Bhagwant Maan

ચંદીગઢમાં નિમણૂક પત્ર વિતરણ સમારોહમાં યુવાનોને સંબોધતા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. ભરતી પહેલા કાયદાકિય સલાહ લેવામાં આવે છે. તમામ કાયદાકીય અડચણોને દૂર કરીને ભરતી કરવામાં આવી રહી છે. પંજાબ સરકારના મિશન રોજગાર હેઠળ અત્યાર સુધીમાં 29 હજાર નોકરીઓ આપવામાં આવી છે.

ભગવંત માને આગળ કહ્યું કે, કોઈ નોકરી અને કામ મોટા કે નાના નથી. તમારો દ્રષ્ટિકોણ નાનો કે મોટો હોઈ શકે છે. ખબર નથી કોના હસ્તાક્ષરથી કોનું ભાગ્ય બગલાઈ જશે. ડ્યુટી જ બ્યૂટી છે.

ભગવંત માને નવ નિયુક્ત યુવાનોને સલાહ આપતા કહ્યું કે, જે પણ કામ આપવામાં આવે તે તમારી ફરજ સમજીને કરો. કામમાં કોઈપણ પ્રકારની ખામી ન છોડો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પંજાબ સરકારનો ભાગ બનવા જઈ રહેલા નવનિયુક્ત યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X