Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Punjab : ગાંધી જયંતિએ મુખ્યમંત્રી ભગવંત માન સ્પેશિયલ વોર્ડનું ઉદ્ઘાટન કરશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરી એક વખત પંજાબની મુલાકાતે પહોંચશે. સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 ઓક્ટોબરે પટિયાલા જશે.

અહેવાલો અનુસાર, સીએમ અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માન આ દરમિયાન પંજાબની જનતાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે.

bhagwant maan and kejriwal

બંને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના રોજ પટિયાલાની માતા કૌશલ્યા હોસ્પિટલમાં નવા વિશેષ જિલ્લા સ્તરીય વોર્ડનું ઉદ્ઘાટન કરશે.

આ વોર્ડ અત્યંત આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે. આ વોર્ડનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ તેને પટિયાલાના લોકોને સમર્પિત કહશે.

જણાવી દઈએ કે, માતા કૌશલ્યા હોસ્પિટલમાં બનેલા નવા સ્પેશિયલ વોર્ડમાં લેટેસ્ટ ટેક્નોલોજી સાથે ટેસ્ટિંગ મશીન અને અન્ય હેલ્થ ઈક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે. અહીં તમામ પ્રકારના ટેસ્ટિંગ અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

સીએમ માને કહ્યું કે, પંજાબ સરકાર સમગ્ર પંજાબમાં આવી હોસ્પિટલો બનાવવાની યોજના બનાવી રહી છે.

આ સંદર્ભમાં માહિતી આપતા, આમ આદમી પાર્ટી પંજાબના વરિષ્ઠ નેતા અને મંડી બોર્ડના અધ્યક્ષ હરચંદ સિંહ બર્સ્ટે જણાવ્યું કે, હોસ્પિટલના નવા વોર્ડનું ઉદ્ઘાટન કર્યા પછી સીએમ અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માન પટિયાલામાં હોસ્પિટલના નવા વોર્ડની મુલાકાત લેશે અને એપોલો ગ્રાઉન્ડ ખાતે પાર્ટીની રેલીને સંબોધશે.

પંજાબના આરોગ્ય મંત્રી બલબીર સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પંજાબની તમામ હોસ્પિટલોમાં પેશન્ટ ફેસિલિટેશન સેન્ટર બનાવવામાં આવશે. આ સાથે આરોગ્ય મંત્રીએ કહ્યું કે, તમામ ઓપરેશન સેન્ટરને મોડ્યુલર બનાવવામાં આવશે. તમામ વોર્ડ એસીથી સજ્જ હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X