પંજાબ સરકારનો નિર્ણયઃ ફરજ દરમિયાન મૃત્યુ થવા પર પોલિસ જવાનોના પરિવારજનોને મળશે એક કરોડની અનુગ્રહ રકમ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબ પોલિસના જવાનોની ફરજ પર મોત થવા પર તેમના પરિવારજનોને એક કરોડ રૂપિયાની એક્સગ્રેટિયા રકમ આપવાનુ એલાન કર્યુ છે.
નવી દિલ્લીઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબ પોલિસના જવાનોની ફરજ પર મોત થવા પર તેમના પરિવારજનોને એક કરોડ રૂપિયાની એક્સગ્રેટિયા રકમ આપવાનુ એલાન કર્યુ છે. મુખ્યમંત્રી બુધવારે પંજાબ પોલિસના ટેકનિલક પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને પંજાબ પોલિસના જવાનો અને અધિકારી સાથે વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી, મુખ્યમંત્રીના એસસીએ એ. વેણુપ્રસાદ, પ્રમુખ સચિવ(ગૃહ) અનુરાગ વર્મા અને ડીજીપી વીકે ભાવરા પણ આ બેઠકમાં હાજર હતા.

બધા રેંકના 23000થી વધુ પોલિસ જવાનોને સંબોધિત કરીને માને તેમને ગેંગસ્ટરો, નશો, આતંકવાદ, ગેરકાયદે ખનન અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા માટે કહ્યુ. ઉલ્લેખનીય છે કે પંજાબ પોલિસ દ્વારા રાજ્ય પોલિસ મુખ્યાલય, બધા જિલ્લા પોલિસ કાર્યાલયો, પોલિસ સ્ટેશનો, પ્રશિક્ષણ કેન્દ્રો, વિશેષ કાર્યબળ(એસટીએફ) કાર્યાલય, સાંઝ કેન્દ્ર, વિવિધ સશસ્ત્ર બટાલિયન અને રેલવે પોલિસ, ખુફિયા કાર્યાલયોમાં સ્થાપિત 933 વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બધા રેંકના પોલિસકર્મીએ આ બેઠકમાં ભાગ લીધો. પંજાબમાં એ પહેલી વાર છે કે મુખ્યમંત્રીએ પોલિસકર્મીઓની આટલી વિશાળ સભાને સંબોધિત કરી છે.
પોલિસના કામકાજમાં કોઈ હસ્તક્ષેપ નહિ થાય
મુખ્યમંત્રીએ આશ્વસ્ત કર્યા કે રાજ્યમાં પોલિસના કામકાજમાં કોઈ હસ્તક્ષેપ નહિ થાય. તેમણે પોલિસકર્મીઓને પૂર્ણ વ્યાવસાયિકતા, સમર્પણ અને અખંડતા સાથે પોતાની ફરજોનુ પાલન કરવાનુ આહ્વાન કર્યુ. મુખ્યમંત્રીએ પોલિસ બળને રાજ્યમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો તોડનારા સામે કોઈ દબાણ વિના વિવેકપૂર્ણ કાર્યવાહી કરવા માટે કહ્યુ.
પોલિસ કલ્યાણ કોષ વધારીને 15 કરોડ કર્યો
પંજાબ પોલિસના કલ્યાણ માટે વધુ એક ઉલ્લેખનીય નિર્ણય કરીને મુખ્યમંત્રીએ આ નાણાકીય વર્ષથી પોલિસ કલ્યાણ કોષને 10 કરોડ રૂપિયાથી વધારીને 15 કરોડ રૂપિયા કરવાની પણ ઘોષણા કરી. તેમણે પોલિસ અધિકારીઓ અને કર્મીઓને પંજાબ પોલિસને દેશના સર્વશ્રેષ્ઠ પોલિસબળોમાંનુ એક બનાવવા માટે પોતાનુ સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા. તેમણે પોલિસ બળથી રાજ્યના નાગરિકો સાથે અત્યંત ઈમાનદારી અને સમ્માન સાથે રાખવા જણાવ્યુ.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
