પંજાબ CM ભાગવંત માને કરાવ્યું ખેડાં વતન પંજાબ દિયાં નું સમાપન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે લુધિયાણામાં પહોંચ્યા હતા. જ્યાં ભગવંત માન દ્વારા ગુરૂ નાનક સ્ટેડિયમ ખાતે ખેડાં વતન પંજાબ દિયાંનું સમાપન કર્યું હતું.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે લુધિયાણામાં પહોંચ્યા હતા. જ્યાં ભગવંત માન દ્વારા ગુરૂ નાનક સ્ટેડિયમ ખાતે ખેડાં વતન પંજાબ દિયાંનું સમાપન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, લાખો રૂપિયાના ખર્ચે પંજાબ સરકાર આ સમારોહનું આયોજન કરાવી રહી છે, પરંતું ગુરૂ નાનક સ્ટેડિયમના એથલેટિક્સ ટ્રેકની હાલત બિસ્માર છે, જે ઘણી જગ્યાથી તુટી ગયો છે.

આવી સ્થિતિમાં ખેલાડીઓ ટ્રેક પર દોડવાથી ઈજાગ્રસ્ત થઇ શકે છે. ગુરુ નાનક સ્ટેડિયમની દયનીય હાલત પર કોઈ સરકાર કે મુખ્યમંત્રીએ ધ્યાન આપ્યું નથી. સમયાંતરે આ સ્ટેડિયમમાં લાખો રૂપિયાનું રોકાણ કરીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આજે પણ ખેલાડીઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.
મુખ્યમંત્રી ભગવંત માનના આગમન પહેલા ગુરુ નાનક સ્ટેડિયમમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પોલીસ કમિશનર મનદીપ સિંહ સિદ્ધુએ અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકાર રમતગમતને પ્રોત્સાહિત કરવા માટે આવા પ્રયાસો કરી રહી છે, જેથી યુવાનોની અપાર ઊર્જાને સકારાત્મક દિશામાં લઈ શકાય. ઉલ્લેખનીય છે કે, પંજાબી સિંગર કુલવિંદર બિલ્લા ફંક્શનમાં પરફોર્મ કરશે.
ગુરુ નાનક સ્ટેડિયમમાં આ ગેમ્સના સમાપન સમારોહમાં ભાગ લેવા સરકાર વધુને વધુ લોકોને આમંત્રિત કરી રહી છે. સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે રાજ્યનું પ્રાચીન ગૌરવ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો અંતર્ગત આ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત સિંહ માન પહેલેથી જ કહી ચૂક્યા છે કે, પંજાબ સરકાર એ સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે કે, ખેલાડીઓ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લે અને ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતે.












Click it and Unblock the Notifications
