દિવ્યાંગો માટે સમર્પિત સેલ તૈયાર કરશે સરકાર, એ મુશ્કેલીઓને ઉકેલવામાં કારગર હશેઃ પંજાબ CM માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિવ્યાંગ લોકોના કલ્યાણ માટે સમર્પિત દિવ્યાંગ સેલની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિવ્યાંગ લોકોના કલ્યાણ માટે સમર્પિત દિવ્યાંગ સેલની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે. આ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભગવંત માન જણાવ્યુ હતુ કે લોકો લાંબા સમયથી આવા રાહત દળની માંગ કરી રહ્યા હતા. ઘણીવાર વિકલાંગ લોકોને તેમના કલ્યાણ માટે સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોનો લાભ લેવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલા માટે અમે આ સેલ તૈયાર કર્યો છે.

જલ્દી ઉકેલાશે ફરિયાદો
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ, 'આ સમર્પિત સેલ અલગ-અલગ-વિકલાંગ લોકો માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ તરીકે કામ કરશે. જેથી તેઓ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે. એક સારી બાબત એ છે કે તેઓ સેલ વિશે ફરિયાદ પણ કરી શકે છે અને સેલના કામને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તમારા સૂચનો પણ આપી શકે છે.












Click it and Unblock the Notifications
