Punjab News : સરકારી જમીનો પર ગેરકાયદેસર કબ્જા અંગે CM ભગવંત માને આપી ચેતવણી, 31 મે સુધીમાં ખાલી કરો, નહીંતર..
Punjab News : પંજાબ રાજ્યોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરવાવાળા લોકોને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, જે લોકોએ પંચાયત, શામલાત, જંગલાત વિભાગની જમીન કે કોઇ અન્ય સ્થળો પર ગેરકાયદેસર અતિક્રમણ કર્યું છે, એમને અપીલ છે કે, 31 મે સુધીમાં કબ્જો છોડી દે. એક જૂનથી પંજાબ સરકાર તરફથી કડક કાર્યવાહી કરીને કબ્જો છોડાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવશે.

આ પહેલા ગુરુવારના રોજ પંચાયત મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે પણ આ અંગે આદેશ જાહેર કર્યો છે. સરકારનો દાવો છે કે, સરકારી જમીનો પર કોઈને અતિક્રમણ કરવા દેવામાં આવશે નહીં. સરકાર લોકોની સુવિધા માટે છે. સરકાર દરેકને તેમનો યોગ્ય અધિકાર આપવાનો પ્રયાસ કરી રહી છે.
ગયા વર્ષે પણ પંજાબ સરકાર દ્વારા શામલાત જમીનોને અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવી હતી. આ દરમિયાન અનેક લોકો કોર્ટના શરણમાં પહોંચ્યા હતા. સરકારે કોર્ટમાં પણ પોતાનું વલણ મજબૂત રીતે રજૂ કર્યું હતું.
આ સાથે આ અભિયાનને આગળ ધપાવવામાં આવ્યું હતું. જેના કારણે સરકારને કરોડો રૂપિયાની જમીન મળી હતી. હવે સરકાર આ જમીન લોકોને કોન્ટ્રાક્ટ પર આપી રહી છે, જેના કારણે સરકાર અને પંચાયતને કમાણી થઈ રહી છે.












Click it and Unblock the Notifications
