ઉદ્યોગપતિઓ માટે કેજરીવાલ સાથે સીએમ ભગવંત માને કરી મોટી ઘોષણા
દિલ્હી સીએમ અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 3 દિવસીય પ્રવાસ પર છે. જેને પગલે આજે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી ભગવંત માન સાથે લુધિયાણાના પ્રવાસે છે.

આ દરમિયાન તેમણે લુધિયાણાના વેપારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન સંબોધિત કરતાં સીએમ માને કહ્યું કે પહેલા દિવસે અમૃતસરમાં સ્કૂલ ઑફ એમીનેંસનું ઉદ્ઘાટન કરવામમાં આવ્યું અને બીજા દિવસે અમૃતસરના વેપારીઓ સાથે મુલાકાત કરવામાં આવી. જે બાદ કાલ રાતે ઝલંધર અને આજે લુધિયાણા પહોંચ્યા છીએ. જે બાદ તેઓ મોહાલી જશે.
સીએમ માને કહ્યું કે લુધિયાણાના ફોકલ પોઈન્ટ અને ઈન્ડસ્ટ્રી સેક્ટરના રસ્તઓને એવા મજબૂત બનાવવામાં આવશે જે આગામી 15 વર્ષ સુધી ખરાબ નહીં થાય અને આ માત્ર લુધિયાણા જિલ્લામાં જ નહીં બલકે પંજાબના તમામ ફોક્લ પોઈન્ટમાં આવું કરવામાં આવશે. આની સાથે જ જ્યાં ઈન્ડસ્ટ્રી છે પછી તે એક જ હોય તો પણ ત્યાં શાનદાર લાઈટ અને સ્પેશિયલ પોલીસ ચોકી બનાવવામામં આવશે જેથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર મજૂરો સાથે લૂટ અને સ્નેચિંગની ઘટના ના બને.
લુધિયાણામાં 6 ઈન્ડસ્ટ્રી પોલીસ ચોકી બનાવવામાં આવશે, જેનું નોટિફિકેશન અઠવાડિયામાં આવી જશે. ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર તમામ મજૂરના વીજળીના મિટર લગાવવામમાં આવશે અને તેમને 600 યૂનિટ ફ્રી વીજળી આપવામાં આવશે.
સીએમ માને કહ્યું કે ઈન્ડસ્ટ્રીને ઈન્ડસ્ટ્રી જ ચલાવે, કોઈ રાજનૈતિક કે ઑફિસર શાહી ના ચલાવે. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે જે દેશનો રાજા વેપારી તે દેશની જનતા ભિખારી હોય છે. સીએમ માને આગળ કહ્યું કે દર 3-4 મહિના બાદ આવી મીટિંગ કરતા રહીશું. જલદી જ હલવારા એરપોર્ટથી દિલ્હી માટે ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
