પંજાબના સીએમ ચન્ની અને રાહુલ ગાંધી વચ્ચે દિલ્હીમાં મુલાકાત, કેબિનેટ વિસ્તરણ મુદ્દે ચર્ચા થઈ!
કોંગ્રેસ હાઇકમાન્ડે કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદેથી દૂર કરી ચરણજીત સિંહ ચન્નીને તાજ પહેરાવ્યા બાદ પણ હજુ મામલો કેબિનેટમાં અટવાયેલો છે.
કોંગ્રેસ હાઇકમાન્ડે કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદેથી દૂર કરી ચરણજીત સિંહ ચન્નીને તાજ પહેરાવ્યા બાદ પણ હજુ મામલો કેબિનેટમાં અટવાયેલો છે. કેટલાક અહેવાલોએ દાવો કર્યો હતો કે નવી સૂચિ તૈયાર હતી પરંતુ વિરોધને જોતા રાહુલ ગાંધીએ તેને સ્થગિત કરી દીધી છે. આ દરમિયાન શુક્રવારે 4 દિવસમાં ત્રીજી વખત પંજાબના નવા સીએમ ચન્ની દિલ્હી પહોંચ્યા અને રાહુલ ગાંધીને મળ્યા. પીસીસી ચીફ નવજોત સિંહ સિદ્ધુને પણ બોલાવવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ કેબિનેટની યાદી ગુરુવારે રાત્રે તૈયાર કરવામાં આવી હતી. રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલ, હરીશ ચૌધરી, કોંગ્રેસના પ્રદેશ પ્રભારી હરીશ રાવત અને અજય માકન આ માટે યોજાયેલી બેઠકમાં હાજર રહ્યા હતા. આ પછી પીસીસીના પૂર્વ વડા સુનીલ જાખરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ખબર આવ્યા હતા કે નેતાઓની નારાજગીને ધ્યાનમાં રાખીને યાદી સ્થગિત કરી દેવામાં આવી હતી. રાહુલ શુક્રવારે રાત્રે સિદ્ધુ અને ચન્નીને મળ્યા બાદ ચર્ચા છે કે નવા નામો પર ચર્ચા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બલવીર સિદ્ધુ, સાધુ સિંહ ધરમસોટ, ગુરપ્રીત કાંગાર, શામ સુંદર અરોરા, અરુણા ચૌધરી અને રાણા ગુરમીત સોઢીને મંત્રીમંડળમાંથી બહાર કરી શકાય છે. આ બધા કેપ્ટનના નજીકના નેતા છે.
મુખ્યમંત્રી પદ ન મળવાથી સુનીલ જાખર નારાજ હતા, પરંતુ રાહુલને મળ્યા બાદ તેના સૂર બદલાયેલા જોવા મળ્યા. તેમણે હવે ચન્નીના શપથગ્રહણને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે રાહુલ ગાંધીએ ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી તરીકે ચૂંટીને સામાજિક ભેદભાવની બાધાઓ તોડી નાખી છે. ચન્ની અનુસૂચિત જાતિમાંથી આવતા પંજાબના પ્રથમ મુખ્યમંત્રી છે. આ હિંમતવાન નિર્ણય શીખ ધર્મના મૂલ્યોમાં રહેલો છે અને તે માત્ર રાજકારણ જ નહીં પરંતુ રાજ્યના સામાજિક માળખા માટે પણ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
