પંજાબમાં CM માને CLUને સરળ બનાવવાના આપ્યા નિર્દેશઃ મંત્રી અમન અરોરા
રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માન ચેન્જ ઑફ લેન્ડ (CLU)ની જટિલ પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે મક્કમ છે તેવો દાવો કેબિનેટ મંત્રી અમન અરોરાએ કર્યો છે.
પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરાએ દાવો કર્યો છે કે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માન ચેન્જ ઑફ લેન્ડ (CLU)ની જટિલ પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે મક્કમ છે. મુખ્યમંત્રીએ આ પ્રક્રિયાને સરળ બનાવવાના આદેશ આપ્યા છે. ઉદ્યોગપતિઓની માંગને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે ઉદ્યોગોને માત્ર એક જ વિભાગ પાસેથી નકશાની મંજૂરી મેળવવાની મંજૂરી આપી છે.

અમન અરોરા ગુરુવારે સંગરુર ડિસ્ટ્રિક્ટ ઈન્ડસ્ટ્રી ચેમ્બરની જનરલ હાઉસ મીટિંગમાં મુખ્ય અતિથિ તરીકે બોલી રહ્યા હતા. બેઠકમાં PSIDCના અધ્યક્ષ જસવીર સિંહ કુદની ઉપરાંત સંગરુર જિલ્લા ઉદ્યોગ ચેમ્બરના અધ્યક્ષ ડૉ. એઆર શર્મા, ઉપાધ્યક્ષ ઘનશ્યામ કાંસલ, જિલ્લા પ્રમુખ સંજીવ ચોપરા કિટી, કાઉન્સિલના પ્રમુખ નિશાન સિંહ ટોની અને બ્લૉક પ્રમુખ રાજીવ મખ્ખન હાજર હતા. બેઠકમાં અમન અરોરાએ જણાવ્યુ હતુ કે સરકારે નવી ઔદ્યોગિક નીતિમાં ઉદ્યોગપતિઓના સૂચનો અને માંગણીઓનો સમાવેશ કર્યો છે. ઉદ્યોગને લગતી કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે તેઓ પોતે 24 કલાક હાજર છે.
જસવીર કુદનીએ કહ્યુ કે પંજાબ ઉપરાંત સંગરુરમાં મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ સ્થાપવાનો તેમનો પ્રયાસ છે. પછાત જિલ્લાઓમાંના એક એવા સંગરુરને રાજ્યનો અગ્રણી જિલ્લો બનાવવા માટે મુખ્યમંત્રી પોતે ગંભીર છે. તેમણે કહ્યુ કે જો કોઈ ઉદ્યોગપતિને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો તેઓ ગમે ત્યારે તેમનો સંપર્ક કરી શકે છે. ચેરમેન ડૉ.એઆર શર્માએ ઉદ્યોગપતિઓને પંજાબમાં જ ઉદ્યોગો સ્થાપીને બેરોજગારી દૂર કરવા હાંકલ કરી હતી. તેમણે કહ્યુ કે લાલચમાં ન આવીને પંજાબને સમૃદ્ધ બનાવવામાં યોગદાન આપવાની જરૂર છે. સરકાર પણ ઉદ્યોગોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહિ આવવા દે. વાઈસ ચેરમેન ઘનશ્યામ કાંસલે માંગણી કરી હતી કે સરકારે પંજાબી ભાષામાં બોર્ડ લખવા માટે આપેલા આદેશનો સરકારી કચેરીઓમાં પણ અમલ થવો જોઈએ. પંજાબી ભાષામાં બોર્ડ લખવા માટે ઉદ્યોગને ઓછામાં ઓછો એક વર્ષનો સમય આપવો જોઈએ.












Click it and Unblock the Notifications
