પંજાબમાં કેન્સર પીડિતોને સરકાર આપશે દોઢ લાખ રુપિયાની આર્થિક મદદ, જાણો કેવી રીતે મેળવવી
પંજાબ સરકાર કેન્સર પીડિતોની સારવાર માટે 1.5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરશે.
ચંદીગઢઃ પંજાબ સરકાર કેન્સર પીડિતોની સારવાર માટે 1.5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરશે. આ માટે મુખ્યમંત્રી રાહત ફંડની જોગવાઈ છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે આ યોજના હેઠળ પંજાબની 19 હૉસ્પિટલોમાં સારવાર કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે અમારા રાજ્યમાં કેન્સર પીડિતોની સારવાર માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દોઢ લાખ રૂપિયાની આર્થિક સહાયની જોગવાઈ છે. તેમણે કહ્યુ કે વર્ષ 2019માં 6122 દર્દીઓની સારવાર માટે 85 કરોડ રૂપિયાની રકમ બહાર પાડવામાં આવી હતી. તેમણે કહ્યુ કે માત્ર ચંદીગઢના સેક્ટર 32માં આવેલી પીજીઆઈ અને સરકારી હૉસ્પિટલમાં જ આ યોજના હેઠળ સારવાર મળતી નથી.

અહીં કેન્સર પીડિતને મળે છે 1.5 લાખ રુપિયા
જેઓ કેન્સરથી પીડિત છે અને જો તેઓ સહાયની રકમ મેળવવા માંગતા હોય તો માત્ર એટલુ જ છે કે અરજદાર સરકારી કર્મચારી ન હોવો જોઈએ તેમજ પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી કરતો હોવો જોઈએ નહિ. દર્દી કે તેના પરિવારમાં કોઈને સરકારી પેન્શન ન મળતુ હોય તે પણ જરૂરી છે. દર્દી પાસે સ્વાસ્થ્ય વીમા પૉલિસી પણ હોવી જોઈએ નહિ. સ્વતંત્ર હૉસ્પિટલો પોતે સરકારી પોર્ટલ પર લૉગ-ઈન થાય છે. સરકાર સારવારની રકમ હૉસ્પિટલના ખાતામાં નાખે છે.
અહીં અન્ય રાજ્યોના દર્દીઓ પણ ઈલાજ કરાવી શકે છે
જો કે, અમૃતસર સ્થિત સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં દર્દીઓની સારવાર ઓછા ખર્ચે કરવામાં આવે છે. 120 કરોડના ખર્ચે બનેલી આ સંસ્થામાં 150 બેડ છે. નિષ્ણાત ડોકટરો પીઈટી-સીટી સ્કેન અને એસપીઈ-સીટી સ્કેન જેવી મશીનરીનો ઉપયોગ કરીને પીડિતોની સારવાર કરે છે. અન્ય રાજ્યોના દર્દીઓ પણ સારવાર મેળવી શકશે.
મહિલાઓમાં કેન્સરના દર્દી વધુ
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે જો કે પંજાબમાં 1 લાખમાંથી 90 લોકો કેન્સરથી પીડિત છે. દર વર્ષે સરેરાશ 7586 નવા કેસ સામે આવી રહ્યા છે. 2019માં અમૃતસરમાં સૌથી વધુ 954, સંગરુરમાં 810, લુધિયાણામાં 716, પટિયાલામાં 667 અને ગુરદાસપુરમાં 525 કેસ નોંધાયા હતા. પુરુષો કરતાં સ્ત્રીઓમાં કેન્સરના દર્દીઓ વધુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
