પંજાબના DYCM રંધાવાએ કહ્યું- અમે અમરિંદરના મહિલા મિત્રના ISI સાથેના સંબંધની તપાસ કરીશું
પંજાબમાં મુખ્યમંત્રી પદ પરથી અમરિંદર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસ અને તેમની વચ્ચે વિવાદ વધી રહ્યો છે. બીજી તરફ પંજાબના નાયબ સુખજિંદર સિંહ રંધાવાએ કેપ્ટન અમરિંદર સિંહ પર મોટો આરોપ લગાવ્યો છે.
ચંદીગઢ : પંજાબમાં મુખ્યમંત્રી પદ પરથી અમરિંદર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસ અને તેમની વચ્ચે વિવાદ વધી રહ્યો છે. બીજી તરફ પંજાબના નાયબ સુખજિંદર સિંહ રંધાવાએ કેપ્ટન અમરિંદર સિંહ પર મોટો આરોપ લગાવ્યો છે.

સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે, તેઓ (કેપ્ટન અમરિંદર સિંહ) કહી રહ્યા છે કે, ISI તરફથી ધમકી છે, પરંતુ તેમની મહિલા મિત્ર જે પાકિસ્તાની પત્રકાર છે, ગુપ્તચર એજન્સી ISI સાથેના તેના સંબંધોની તપાસ થવી જોઈએ.
સુખજિંદર સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે, તેઓ (કેપ્ટન અમરિંદર સિંહ) હવે કહી રહ્યા છે કે, ISI થી તેમને જોખમ છે, અમે (ISI) તે મહિલાના સંબંધની તપાસ કરીશું.
તેમણે કહ્યું કે, કેપ્ટન છેલ્લા 4.5 વર્ષથી પાકિસ્તાનથી આવતા ડ્રોનનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. એટલા માટે કેપ્ટને પહેલા આ મુદ્દો ઉઠાવ્યો અને બાદમાં પંજાબમાં બીએસએફ તૈનાત કરી દીધી છે.
સુખજિંદર સિંહ રંધાવાએ જણાવ્યું હતું. અમરિંદરની મિત્ર અરૂસા આલમની પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે સંબંધ છે કે કેમ તેની તપાસની માંગણી રંધાવાએ કરી છે.
ઉલ્લેખનીય છે કે, 19 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાની નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેપ્ટન અમરિંદર સિંહ આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી તરફથી ચૂંટણી લડશે. ટૂંક સમયમાં તે નવી પાર્ટી લોન્ચ કરી શકે છે. આ દરમિયાન તેમના મીડિયા સલાહકાર રવિન ઠુકરાલે પણ સંકેત આપ્યો છે કે કેપ્ટન આગામી વર્ષે ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન પણ કરી શકે છે. જો કે, આંદોલનકારી ખેડૂતોની માંગણીઓ સ્વીકારવા માટેની તેમને શરત રાખી છે. હવે રાજકીય વર્તુળોમાં કેપ્ટનની નવી પાર્ટીથી પંજાબમાં કોંગ્રેસના ભવિષ્ય પર શું અસર થશે તેની ચર્ચા શરૂ થઈ છે.
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદથી જ કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસથી અલગ થવાની વાત કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે તેમને તેની ઔપચારિક જાહેરાત પણ કરી છે. રવિન ઠુકરાલે કેપ્ટનને ટાંકીને પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, પંજાબના ભવિષ્ય માટે લડાઈ ચાલુ છે. હું ટૂંક સમયમાં પંજાબ અને મારા ખેડૂતો સહિતના હિતોની સેવા કરવા માટે મારી પોતાની રાજકીય પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરીશ, જે એક વર્ષ કરતા વધુ સમયથી તેમના અસ્તિત્વ માટે લડી રહ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
