Exit Poll: પંજાબ વિધાનસભા ચૂંટણી 2017માં કોણ મારશે બાજી?
પંજાબ વિધાનસભા ચૂંટણી 2017માં આ વખતે ત્રિકોણીય જંગ છે. અન્ય ચાર રાજ્યોની સાથે પંજાબ વિધાનસભા ચૂંટણી 2017ના પરિણામો પણ 11 માર્ચના રોજ જાહેર થનાર છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી 2017 માં આ વખતે ત્રિકોણીય જંગ છે. અન્ય ચાર રાજ્યોની સાથે પંજાબ વિધાનસભા ચૂંટણી 2017ના પરિણામો પણ 11 માર્ચના રોજ જાહેર થનાર છે. પંજાબમાં અકાલી દળ-બાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય મુકાબલો છે. ચૂંટણીના પરિણામો જાહેર થતાં પહેલાં ઘણી સમાચાર ચેનલો પોતાના એક્ઝિટ પોલ જાહેર કરશે. એક્ઝિટ પોલમાં ચૂંટણીનું સર્વેક્ષણ કરતી એજન્સિઓ અને વિશેષજ્ઞો જણાવશે કે, આ વખતે કઇ પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણી 2017 જીતી પંજાબમાં સરકાર બનવવા સક્ષમ છે?

પંજાબમાં ઇન્ડિાયા ટુડે-માય એક્સિસ ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 62થી 71 સીટો આપવામાં આવી છે. આપ પાર્ટીને 42થી 51 સીટો તથા શિરોમણિ અકાલી દળ-ભાજપ ગઠબંધનને 4-7 સીટો મળવાની સંભાવના વ્યક્ત થઇ છે. અન્યોના ભાગે 0-2 સીટો આવવાની શક્યતા છે. પંજાબમાં કુલ 177 વિધાનસભા સીટો છે. ન્યૂઝ 18 તથા એક્સિસ પોલ પણ આ જ તારણ દર્શાવી રહ્યાં છે.
ન્યૂઝ 24-ચાણક્ય એક્ઝિટ પોલ અનુસાર પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બરાબરની ટક્કર છે, બંન્ને પાર્ટીઓને એક્ઝિટ પોલમાં 54-54 સીટો મળવાનું અનુમાન લગાવાયું છે. શિરોમણિ અકાલી દળ-ભાજપના સંગઠનને 9 સીટો મળવાની શક્યતા દર્શાવાઇ છે.
ઇન્ડિયા ટીવી-સી વોટર્સ એક્ઝિટ પોલ અનુસાર, પંજાબમાં આમ આદમી પાર્ટીને બહુમત મળવાની વાત કહેવામાં આવી છે. આપ પાર્ટીને 59-67 સીટ મળવાની સંભાવના છે, કોંગ્રેસને 41-49 સીટો શિઅદ-ભાજપ ગઠબંધનને 5-13 સીટો મળવાની સંભાવના છે. અપક્ષને 0-3 સીટો મળી શકે એમ છે.
ન્યૂઝ એક્સ-એમઆરસીના એક્ઝિટ પોલ અનુસાર પંજાબમાં આમ આધમી પાર્ટી અને કોંગ્રેસને 55-55 મળવાનું અનુમાન લગાવાયું છે. શિરોમણિ અકાલી દળ-ભાજપ ગઠબંધનને 7 સીટો મળવાની શક્યતા દર્શાવાઇ છે.
સમાચાર ચેનલ આજ તક અનુસાર કોંગ્રેસને 62-67 સીટો મળશે, પહેલીવાર પંજાબ ચૂંટણીમાં ભાગ લઇ રહેલી આપ પાર્ટીને 42-51 સીટો મળવાની સંભાવના છે. ભાજપ-શિઅદ ગંઠબંધનને 4-7 સીટો મળી શકે છે.
સમાચાર ચેનલ એબીપી અનુસાર આપ અને કોંગ્રેસ વચ્ચે સરખે-સરખી ટક્કર જોવા મળશે. કોંગ્રેસને 46-56 તથા આપ પાર્ટીને 36-46 સીટો મળી શકે છે. ભાજપ-શિઅદ ગઠબંધનને 19-27 સીટો મળવાની સંભાવના છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
