For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબઃ ખેડૂતોને પાકનુ વળતર આપવા માટે આમ આદમી પાર્ટીની સરકાર અપનાવશે હવે આ યોજના

પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકાર આગામી નાણાકીય વર્ષથી કેન્દ્રની પાક વીમા યોજનામાં જોડાવા માટે સંમત થઈ છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ અગાઉની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ને ફગાવી દીધા બાદ હવે પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકાર આગામી નાણાકીય વર્ષથી કેન્દ્રની પાક વીમા યોજનામાં જોડાવા માટે સંમત થઈ છે. ખરાબ હવામાન અને કપાસ પર જીવાતોના હુમલાને કારણે પંજાબના ખેડૂતોને સતત બે વર્ષથી પાકને નુકસાન થયુ છે. જેના કારણે શાસક સરકારને ખેડૂતોને વળતર તરીકે રૂ. 1500 કરોડ ચૂકવવાની ફરજ પડી છે. જેના કારણે સરકાર હવે આ દિશામાં પગલા ભરવા તૈયાર છે. જેના કારણે શાસક સરકારને ખેડૂતોને વળતર તરીકે રૂ. 1500 કરોડ ચૂકવવાની ફરજ પડી છે. જેના કારણે સરકાર હવે આ દિશામાં પગલા ભરવા તૈયાર છે.

CM Mann

PMFBY હેઠળ, ખેડૂતો રવિ પાક માટે વીમાની રકમના 1.5% અને ખરીફ પાક માટે 2% પ્રીમિયમ તરીકે ચૂકવે છે. બાકીનુ પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચવામાં આવે છે. હાલમાં કોઈપણ પાકના નુકસાનના કિસ્સામાં ખેડૂતોને નિશ્ચિત મર્યાદાના આધારે પ્રતિ એકર રૂ. 2,000 થી રૂ. 12,000 ની વચ્ચે વળતર મળે છે. આ નાણાનો ઉપયોગ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી કરવામાં આવે છે.

પંજાબમાં પાકનું નુકસાન ત્રણ વર્ષ પહેલાં સુધી ક્યારેય 5 ટકાથી વધી ગયુ ન હતુ પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી ડાંગર (બાસમતી અને બિન-બાસમતી બંને) અને કપાસમાં પાકનુ નુકસાન 15 ટકાને વટાવી ગયુ છે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓ દાવો કરે છે કે છેલ્લા બે વર્ષમાં કપાસના ઉત્પાદકો કે જેમનો પાક લાર્વા અથવા સફેદ માખીના હુમલાથી નાશ પામ્યો હતો. છેલ્લા બે વર્ષમાં કપાસના ખેડૂતોને રૂ. 700 કરોડનું વળતર આપવામાં આવ્યું છે જેમનો પાક બોલવોર્મ અથવા સફેદ માખીના હુમલાથી નાશ પામ્યો હતો. રાજ્યના કૃષિ નિયામક ગુરવિંદર સિંહે કહ્યું કે આવી સ્થિતિમાં રાજ્ય સરકાર આખરે PMFBY અપનાવશે.

ઉલ્લેખનીય છે કે આ યોજના કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને પંજાબ મુખ્યત્વે તેનો વિરોધ કરી રહ્યું હતું કારણ કે આ યોજના સિંચાઈ અને બિન-સિંચાઈવાળા વિસ્તારોને વળતર માટે જોડતી હતી. આ સિવાય 40 ટકા પાકને નુકસાન થાય તો જ રાહત આપવાની હતી. તે પ્રીમિયમની ગણતરી માટે સામાન્ય પાકની ઉપજનો અંદાજ કાઢવા માટે 10-વર્ષના ડેટાનો પણ ઉપયોગ કરે છે. અગાઉની કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન, રાજ્યએ તેની પાક વીમા યોજના પણ તૈયાર કરી હતી, પરંતુ તે સફળ થઈ શકી ન હતી.

અધિકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકાર હવે તમામ ડેટા ઓનલાઈન એકત્રિત કરશે, ડિજિટલ લેન્ડ રેકોર્ડ અને સેટેલાઇટ ઈમેજરીનો ઉપયોગ કરીને પાકના નુકસાનનું મૂલ્યાંકન કરશે. તેલંગાણા, ગુજરાત અને બિહાર જેવાં કેટલાંય રાજ્યો કે જેમણે PMFBY ને નાપસંદ કર્યું હતું તેઓ હવે આવતા નાણાકીય વર્ષથી આ યોજનામાં જોડાવા ઇચ્છુક છે કારણ કે કેન્દ્ર નવી યોજના શરૂ કરવા માટે સંમત છે.

English summary
Punjab Government compensation for farmer, now working On center's crop insurance scheme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X