પંજાબ સરકારનુ મિશન રોજગાર ચાલુ, વેટરનરી અધિકારીઓને વહેંચવામાં આવ્યા નિમણૂક પત્ર

મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા મહાનગરપાલિકા ભવનમાં પશુપાલન વિભાગના વેટરનરી અધિકારીઓને નિમણૂક પત્રોનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

પંજાબ સરકારનુ મિશન રોજગાર સતત ચાલુ છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા મહાનગરપાલિકા ભવનમાં પશુપાલન વિભાગના વેટરનરી અધિકારીઓને નિમણૂક પત્રોનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવનિયુક્ત વેટરનરી અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

bhagwant mann

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, માતા-પિતાએ પોતાના સંતાનો માટે જે સપનુ જોયા હશે તે આજે સાકાર થયા છે અને તેમના બાળકોને સરકારી નોકરી મળી છે. ખેતી પછી જો કોઈ ખેડૂતને બચાવી શકે તો તે છે પશુધન. ખેડૂત ખેતી તેમજ મત્સ્યોદ્યોગ વગેરે જેવા કામ કરી શકે છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે અમે વેરકા પર ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં વેરકા પંજાબમાં ઘણી નોકરીઓનુ સર્જન કરશે.

વેરકાનુ દૂધ, ખીર, પીનિયા, લસ્સી, પંજીરી જેવી વસ્તુઓ ક્યાંય મળતી નથી, આ માટે દૂધની જરૂર છે. દૂધ માટે તંદુરસ્ત પ્રાણીઓની જરૂર છે, જેના માટે વેટરનરી અધિકારીઓનો અનુભવ કામમાં આવશે. મુખ્યમંત્રી માને કહ્યુ કે અમે દિલ્લીમાં વેરકા ઓફિસ ખોલી રહ્યા છીએ. હિમાચલ ઓફિસનુ વિસ્તરણ કરી રહ્યા છીએ. વિદેશમાં મોટી સંખ્યામાં પંજાબીઓ વસે છે અને ત્યાં પંજાબી સ્ટોર પણ ખુલ્યા છે. પંજાબી ઉત્પાદનો વિદેશમાં મોકલતા એનઆરઆઈ સાથે પણ વાતચીત ચાલી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે પંજાબના ઉત્પાદનો જ્યારે વિદેશમાં જશે ત્યારે ત્યાં રહેતા પંજાબીઓને ઘણો ફાયદો થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X