For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે દુર્ઘટનાના પીડિત પરિવાર માટે આગળ આવી માન સરકાર, આર્થિક સહાયનું એલાન

કેબિનેટ મંત્રી હરજોત બૈંસે રેલવે દુર્ઘટના બાબતે દુખ વ્યક્ત કર્યું છે. પરિવારોને એક એક લાખ રૂપિયાની સહાય આપવાનું એલાન કર્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

પંજાબ સરકારે ગત દિવસોમાં થયેલ રેલવે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 3 માસૂમ બાળકોના પરિવારને એક-એક લાખ રૂપિયાની સહાયતા આપવાનું એલાન કર્યું છે. રેલવે દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકમય વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જો કે ભગવંત માન સરકાર હવે પીડિત પરિવારોની સહાયતા માટે આગળ આવી છે.

punjab

આ દરમિયાન દુખ વ્યક્ત કરવા માટે ખુદ એસડીએમ મનીષા રાણા, આઈએએસ અને ડેપ્યૂટી કમિશ્નર હરજોત કૌર પીડિત પરિવારના ઘરે પહોંચ્યા, જ્યાં તેમણે પરિવારોની દરેક સંભવ મદદ કરવાનો ભરોસો આપ્યો. તેમણે કહ્યું કે આ બહુ દર્દનાક ઘટના છે, માસૂમ બાળકોના પરિવારોના અમે શક્ય તમામ પ્રકારની સહાયતા કરવા માટે તૈયાર છીએ.

હલકા વિસ્તારના ધારાસભ્ય અને પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી હરજોત બૈંસે રેલવે દુર્ઘટનામાં દુખ વ્યક્ત કર્યું છે. તેઓ અત્યારે રાજ્યની બહાર છે, જો કે તેમણે પીડિત પરિવારો સાથે નિરંતર તાલમેલ રાખવાનો અને શક્ય તમામ મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે.

English summary
Punjab government has announced financial assistance for the families of the victims of the railway accident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X