કેનેડાથી કાવતરા કરતા ગેંગસ્ટરોને કાબુ કરવા માટે પંજાબ સરકારે જારી કરી રેડ કોર્નર નોટીસ
પંજાબમાં થોડા સમય પહેલા જ જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ઘણા ગેંગસ્ટરોના નામ આવ્યા હતા. જેમા લોરેન્સ બિશ્નોઇ તથા કેનેડાથી પોતાની ગેંગ ચલાવતા ગોલ્ડી બ્રારનુ નામ પણ આવ્યુ હતુ. મુસેવાલા હત
પંજાબમાં થોડા સમય પહેલા જ જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ઘણા ગેંગસ્ટરોના નામ આવ્યા હતા. જેમા લોરેન્સ બિશ્નોઇ તથા કેનેડાથી પોતાની ગેંગ ચલાવતા ગોલ્ડી બ્રારનુ નામ પણ આવ્યુ હતુ. મુસેવાલા હત્યા કેસમાં પોલીસે ઘણા શૂટરોને ગિરફ્તાર પણ કર્યા છે. હવે વિદેશથી પોતાના પંજાબ પોલીસે કેનેડામાં બેઠેલા કેટલાય ગેંગસ્ટરોને રેડ કોર્નર નોટિસ જારી કરી છે.

પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનો દાવો કરતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે સરકારે ગુંડાઓ અને ડ્રગ સ્મગલરો સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પ્રશંસનીય કામ કર્યું છે અને આવનારા સમયમાં પંજાબને સંપૂર્ણપણે ગેંગસ્ટર મુક્ત બનાવવામાં આવશે.
પોલીસે સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ અંગે પણ ચલણ રજૂ કર્યું છે અને ઘણા માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટરોના નામ પણ સામે આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબ મેળાઓ અને ઉત્સવોની ભૂમિ છે અને આ ભાવનાને જાળવી રાખવા માટે, પંજાબ સરકાર કોઈને પણ કાયદો અને વ્યવસ્થા સાથે રમવાની મંજૂરી આપશે નહીં.












Click it and Unblock the Notifications
