પંજાબ સરકારે 4 રસ્તાઓને કર્યા ટોલ ફ્રી, હાઈવે સુધરાવ્યા, મંત્રી ઈટીઓએ ગણાવ્યા કામ
સામાન્ય માણસને રાહત આપવાના હેતુથી, પંજાબના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) એ રાજ્યના ચાર રસ્તાઓને પ્રવાસીઓ માટે ટોલ ફ્રી બનાવ્યા છે.

ચંદીગઢ: સામાન્ય માણસને રાહત આપવાના હેતુથી, પંજાબના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) એ રાજ્યના ચાર રસ્તાઓને પ્રવાસીઓ માટે ટોલ ફ્રી બનાવ્યા છે. આ સાથે રાજ્યભરમાં રૂ. 509 કરોડના ખર્ચે 3571 કિલોમીટરના લિંક રોડનું નવીનીકરણ અને ખાસ સમારકામ કરવામાં આવ્યું છે.
પંજાબ સરકારની એક વર્ષમાં ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતા પંજાબના જાહેર બાંધકામ મંત્રી હરભજન સિંહ ETOએ કહ્યું કે લુધિયાણા-મલેરકોટલા, હોશિયારપુર-ટાંડા, મક્કુ ખાતે હાઈ લેવલ બ્રિજ, બાલાચૌર-ગઢશંકર-હોશિયારપુર રસ્તાઓને પ્રવાસીઓ માટે ટોલ ફ્રી કરવામાં આવ્યા છે. આ ટોલ પ્લાઝાના કોન્ટ્રાક્ટની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે પરંતુ કંપનીઓ તેને લંબાવવા માટે જોડતોડ કરી રહી હતી.
પંજાબીઓના હિતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ ટોલ પ્લાઝાને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આવા વધુ ટોલ પ્લાઝા બંધ કરવામાં આવશે કારણ કે રાજ્ય સરકાર આવા તમામ ડિફોલ્ટરોની યાદી તૈયાર કરી રહી છે. પોતાના અંગત સ્વાર્થો માટે પંજાબના રસ્તાઓ ગીરો મૂકીને લોકો પર વધારાનો બોજ નાખવા માટે અગાઉની સરકારો પર આકરા પ્રહાર કરતાં તેમણે કહ્યું કે પંજાબની આપ સરકાર લોકોને આ બોજમાંથી મુક્ત કરવા માટે તમામ શક્ય પગલાં લેશે.
વિભાગ દ્વારા લેવામાં આવેલી આવી અન્ય પહેલો વિશે બોલતા, તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, 215 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવ્યા છે અને 65 સેવા કેન્દ્રોને આમ આદમી ક્લિનિક્સમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશેષ સહાય યોજના હેઠળ રૂ. 86.70 કરોડના ખર્ચે 166 કિલોમીટરના પટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે લિન્ક રોડ પ્રોજેક્ટ્સ હેઠળ પૂર્ણ થયેલા અને ચાલુ કામો પર, 509 કરોડ રૂપિયાના ખર્ચે 3571 કિમીનો માર્ગ પૂર્ણ કરવામાં આવ્યો છે.
કેબિનેટ મંત્રી હરભજન સિંહે અન્ય જન કલ્યાણ યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે G-20 બેઠકો માટે શાળાઓ, હેરિટેજ ગેટ અને શેરીઓનું નવીનીકરણ, રસ્તાઓ ચાર માર્ગીય બનાવવા અને સુશોભિત ફૂલો અને છોડ વાવીને બ્યુટીફિકેશન સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યુ છે.
આ સિવાય અમૃતસરમાં વિવિધ સરકારી ઈમારતો, હોસ્પિટલો અને જાહેર ઈમારતોનુ સમારકામ અને જાળવણીનું કામ મોટા પાયે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ચાલી રહેલા અને પૂર્ણ થયેલા કામો પર 411 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને ગામડાઓમાં 373 કિલોમીટરના રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
હરભજન સિંઘ ઈટીઓએ માહિતી આપી હતી કે રૂ. 58.26 કરોડના ખર્ચે 28 HLBs/ROBs/RUBs પર કામ ચાલી રહ્યું છે. કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિભાગે વિવિધ કામો માટે બિલો તૈયાર કર્યા છે. સુવ્યવસ્થિત કરવા માટે એન્જિનિયરિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ મોડ્યુલ લાગુ કરવામાં આવ્યું છે જેનાથી સમગ્ર કામગીરી અસરકારક, કાર્યક્ષમ અને પારદર્શક બનાવી શકાય.












Click it and Unblock the Notifications
