અબોલ પશુઓની મદદે પંજાબ સરકાર, 31 ઓક્ટોબર સુધીના વિજળીના બીલ માફ કર્યા!
પંજાબ સરકાર અબોલ પશુઓની મદદે આવી છે. મળતી વિગતો અનુસાર, પંજાબની સરકારે 20 સરકારી ગૌશાળાઓ સહિત પંજાબની નોંધાયેલી તમામ ગૌશાળાના 31 ઓક્ટોબર સુધીનું બાકી વિજળી બીલ માફ કરવાનો નિર્યણ કર્યો છે.
પંજાબ સરકાર અબોલ પશુઓની મદદે આવી છે. મળતી વિગતો અનુસાર, પંજાબની સરકારે 20 સરકારી ગૌશાળાઓ સહિત પંજાબની નોંધાયેલી તમામ ગૌશાળાના 31 ઓક્ટોબર સુધીનું બાકી વિજળી બીલ માફ કરવાનો નિર્યણ કર્યો છે. સરકારે કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કર્યો હતો. આ પગલાનો ઉદ્દેશ્ય રખડતા ઢોરની સમસ્યાનો અંત લાવવા ગૌશાળા પૂરા દિલથી યોગદાન આપે તે છે. આ કામ માટે ખર્ચ ગાય સૈસમાંથી કરવામાં આવશે.

પંજાબ કેબિનેટે એનઆરઆઈ વિભાગની વર્ષ 2015-16, 2016-17, 2017-18, 2018-19, 2019-20 અને 2020-21ના વાર્ષિક વહીવટી અહેવાલોને પણ મંજૂરી આપી છે. આ સિવાય કેબિનેટે રાજીન્દર ગુપ્તા, અમૃત સાગર મિત્તલ અને સુનીલ ગુપ્તાને બોર્ડમાં કેબિનેટ રેન્ક ધરાવતા વાઇસ-ચેરમેન તરીકે નિયુક્ત કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
વિશાળ જાહેર હિતને ધ્યાનમાં રાખીને કેબિનેટે ડેપ્યુટી કમિશનરની કચેરી માલેરકોટલા ખાતે નાયબ તહસીલદાર (કૃષિ), સદર કાનુનગો અને નાયબ સદર કાનુનગોની એક-એક પોસ્ટ બનાવવાની મંજુરી આપી હતી.
કેબિનેટે મહેસૂલ રેકોર્ડમાં બિન-કૃષિ હેતુઓ માટે જમીનના સંપાદન માટે જમીનના ઉપયોગના ફેરફાર માટે ફોર્મ 'L' અને ફોર્મ 'M' દાખલ કરવા માટે નિયમ 6A ઉમેરવા માટે પંજાબ જમીન સુધારણા નિયમો 1973માં સુધારાને મંજૂરી આપી હતી.












Click it and Unblock the Notifications
