પંજાબ સરકાર સ્ટેમ્પ ડ્યુટી નહીં વધારે, કેબિનેટમાં નિર્ણય લેવાયો

પંજાબની ભગવંત માન સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે ત્યારે હવે સરકારે પંજાબવાસીઓને એક મોટી રાહત આપી છે. હવે પંજાબ સરકારે રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી નહીં વધારવાની જાહેરાત કરી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં 1 એપ્રિલથી સ્ટેમ્પ ડ્યૂટીમાં કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય કરાયો છે. પંજાબ કેબિનેટે 30 એપ્રિલ સુધી સ્ટેમ્પ ડ્યૂટીમાં બે ટકાના ઘટાડાની સુવિધા ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
અહીં તમને જણાવી દઈએ કે, 31 માર્ચ 2023 સુધી પંજાબ સરકારે સ્ટેમ્પ ડ્યૂટીમાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. હવે મળેલી કેબિનેટ બેઠકમાં આ સુવિધાને 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. જનહિતને ધ્યાનમાં રાખીને કેબિનેટ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન જે લોકો રજિસ્ટ્રી કરાવશે તેમને વધારાની સ્ટેમ્પ ડ્યુટી અને PIDBમાં એક ટકા અને સ્પેશિયલ ડ્યુટીમાં 0.25 ટકા મુક્તિ અપાશે. જનતાને આપવામાં આવેલી આ સુવિધાને કારણે સરકારની આવકમાં વધારો થયો છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
