For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકારે પરાળી નિકાલમાં ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી!

પંજાબની ભગવંત માન સરકાર દ્વારા અગાઉની સરકાર દરમિયાન ખરીદવામાં આવેલા પરાળીના નિકાલ માટેના મશીનો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં 100 કરોડના કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : ​​પંજાબની ભગવંત માન સરકાર દ્વારા અગાઉની સરકાર દરમિયાન ખરીદવામાં આવેલા પરાળીના નિકાલ માટેના મશીનો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં 100 કરોડના કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Punjab Govt

પંજાબ સરકાર ભ્રષ્ટાચાર સામે સતત કાર્યવાહી કરી રહી છે. મંત્રી કુલદીપ ધાલીવાલે કહ્યું કે, કાગળ પર વધુ મશીનો ખરીદવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે પરંતુ ગામડાઓમાં ઓછા મશીનો પહોંચ્યા છે.

સુત્રોને ટાંકીને એવી પણ માહિતી મળી રહી છે કે સરકારે તપાસ માટે વિજિલન્સ વિભાગને ફાઈલ પણ મોકલી છે.

અહીં તમને જણાવી દઈએ કે, પંજાબ-હરિયાણામાં પરાળી બાળવાને લઈને પોલ્યુશનના મોટા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દિલ્હીમાં વધતા પ્રદુષણ માટે પણ પરાળીને જવાબદાર ઠેરવવામાં આવી હતી.

હવે પંજાબમાં સરકાર બદલાયા બાદ ત્યાં જૂની સરકારના ભ્રષ્ટાચારને લઈને આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સતત એક્શનમાં છે ત્યારે હવે સરકાર આ દિશામાં કાર્યવાહી કરી રહી છે.

English summary
Punjab Govt initiates investigation into corruption in purchase of straw disposal machine!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X