Excise Policyને લઇ પંજાબ કેબિનેટે મહત્વનો નિર્ણય લીધો
પંજાબ કેબિનેટે દિલ્હીમાં એક્સાઈઝ કૌભાંડને લઈને નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં પંજાબ કેબિનેટે શુક્રવારે વર્ષ 2023-24ની એક્સાઇઝ નીતિને મંજૂરી આપી દીધી. આ અંગેનો ફેસલો મુખ્યમંત્રીના નેતૃત્વમાં પંજાબ સિવિલ સચિવાલય-1માં તેમના ઑફિસમાં થયેલ મીટિંગમાં લેવામાં આવ્યો. મુખ્યમંત્રી ઑફિસના પ્રવક્તાએ જણાવ્યું કે દારૂ કારોબારમાં સ્થિરતા યથાવત રાખવા અને ગત વર્ષો દરમિયાન શરૂ થયેલા સુધારાઓ ચાલુ રાખવા માટે તાત્કાલીન રિટેલ લાઇસન્સોના નવીનીકરણ માટે છૂટક વેચાણ લાઇસેંસ એલ-1/એલ/એની રજૂઆત કરવામાં આવી રહી છે. આ નીતિ અંતર્ગત વર્ષ 2023-24 દરમિયાન 1004 કરોડ રૂપિયાના વધારા સાથે 9754 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્ય છે.
બીયર બાર, હાર્ડ બાર, ક્લબ અને માઇક્રોબ્યૂરીજ દ્વારા વેચવામાં આવતા દારૂ પર લાગતો વેટ ઘટાડી 13 ટકા અને 10 ટકા સરચાર્જ કરી દેવાયો છે. 10 લાખ સુધીના એક્સાઇઝ વર્ષમાં ફક્ત એક જ વાર જૂથ બદલવાની મંજૂરી આપવામાં આવશે અને શરતોની પરિપૂર્ણતાને આધિન. એલ-50 પરમિટની વાર્ષિક ફી 2500થી ઘટાડીને 2000 રૂપિયા ્ને જીવનભર માટે એલ-50 પરમિટની ફી 20 હજારથી ઘટાડીને 10 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. સતત 3 વર્ષ માટે વાર્ષિક L-50 લાયસન્સ જાહેર કરવાની શરત કે જે આજીવન L-50 પરમિટ જાહેર કરવા માટે જરૂરી છે તે પણ દૂર કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
