પંજાબ વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાએ લીધી અનાજ બજારોની મુલાકાત
પંજાબ વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાંએ રવિવારના રોજ માલવા પટ્ટાની અલગ અલગ અનાજ બજારોની અચાનક મુલાકાત લીધી હતી. જેમાં તેમને અનાજની સરકારી ખરીદીની તપાસ કરી હતી.
ચંદીગઢ : પંજાબ વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાંએ રવિવારના રોજ માલવા પટ્ટાની અલગ અલગ અનાજ બજારોની અચાનક મુલાકાત લીધી હતી. જેમાં તેમને અનાજની સરકારી ખરીદીની તપાસ કરી હતી. આ સાથે તેમણે અધિકારીઓ નિર્વિધ્ન અને સુચારૂ ખરીદી સુનિશ્ચિત કરવાની સુચના આપી હતી.

બજારની મુલાકાત દરમિયાન ખરીદ કેન્દ્રની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. આ સાથે જ્યાં પણ ઉણપ દેખાય તો તેમાં સુધારો કરવાની સુચના પણ આપવામાં આવી છે.
કુલતાર સિંહ સંધવાંએ ખેડૂતોને 24 કલાકની અંદર ડાંગરની ખરીદી પર ચૂકવણી કરવા અંગેનો નિર્દેશ પણ આપ્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, પંજાબ સરકાર ખેડૂતોને મંડીઓમાં દરેક સુવિધા આપવા માટે પ્રતિબદ્ધ છે અને આ સંદર્ભે પહેલાથી જ સુચનાઓ આપી દેવામાં આવી છે. વર્તમાન સિઝનમાં ખેડૂતોને મંડીઓમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે, મંડીઓમાં ડાંગરના પ્રવાહ પર દેખરેખ રાખવા માટે ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. વર્તમાન સિઝન દરમિયાન કોઈપણ ગેરકાયદેસર ખરીદીને ટાળવા માટે આંતર-રાજ્ય સરહદો પર ચેક-પોસ્ટ મૂકવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ ખેડૂતોને 24 કલાકની અંદર ચૂકવણીની ખાતરી કરવા માટેનું પણ સુચન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સ્પીકરે જણાવ્યું હતું કે, પંજાબ સરકાર ડાંગરના અનાજની ખરીદી અને પરિવહન માટે પ્રતિબદ્ધ છે. આ સાથે ડાંગરની ખરીદી, ઉપાડ, બારદાનની ઉપલબ્ધતા, વાહનવ્યવહાર, વેતન, વીજળી, પીવાનું પાણી, સ્વચ્છતા, શૌચાલયની સુવિધા અંગે બેદરકારી ન રાખવા કડકપણે સૂચનાઓ આપવામાં આવી છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જૂથ અનાજ બજારોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તમામ સરકારી ખરીદ એજન્સીઓને સરકારની સૂચનાઓનું પાલન કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
