પંજાબ બોર્ડની પરીક્ષાઓ માટે તૈયારીઓ પૂર્ણ, મંત્રી હરજોત બેંસે આપી માહિતી
પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ દ્વારા આવતીકાલથી ધોરણ 12ની પરીક્ષા સાથે વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.
મોહાલી: પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ 5માં, 8માં, 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષાઓને લઈને તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ માહિતી આપતા શિક્ષણ મંત્રી હરજોત બેન્સે જણાવ્યુ કે, પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ દ્વારા આવતીકાલથી ધોરણ 12ની પરીક્ષા સાથે વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

તેમણે જણાવ્યુ કે 12માંની પરીક્ષામાં અપીયર થનાર ઉમેદવારોની સંખ્યા 299744 છે. તેમણે માહિતી આપી હતી કે ધોરણ 12ની પરીક્ષા માટે 3914 શાળાઓમાં કુલ 2255 પરીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, વર્ષ 2022-23 માટે ધોરણ 5ની વાર્ષિક પરીક્ષા 25 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે, જે 4 માર્ચ સુધી ચાલશે. આ કેટેગરીમાં અપીયર થનાર ઉમેદવારોની સંખ્યા 298296 છે, જેમના માટે મોટાપાયે સેલ્ફ સેન્ટરો બનાવવામાં આવ્યા છે.
બેન્સે માહિતી આપી હતી કે આ શ્રેણી માટે 17,307 સ્વ-પરીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. 8માં ધોરણની પરીક્ષા માટે 310311 ઉમેદવારો માટે 10694 શાળાઓમાં 2482 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર, 10માં ધોરણની વાર્ષિક પરીક્ષામાં અપીયર થનારા 285068 નિયમિત, ઓપન સ્કૂલ સિસ્ટમ હેઠળ પરીક્ષા આપનાર કુલ 10361, વધારાના વિષયની કેટેગરી હેઠળ રાજનીતિલ 2366, રીઅપીયર વિષયની પરીક્ષા આપનારા કુલ 1090 પરીક્ષાર્થીઓ માટે 7178 શાળાઓમાં 2576 પરીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે પરીક્ષાના સુચારૂ સંચાલન માટે જિલ્લા શિક્ષણાધિકારીઓને યોગ્ય વ્યવસ્થા કરવા સૂચનાઓ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
