Punjab News : જીંદમાં AAPએ શરૂ કરી તિરંગા યાત્રા, ભગવંત માન અને કેજરીવાલ રહ્યા ઉપસ્થિત
Punjab News : હરિયાણામાં નવેસરથી સંગઠન ઉભુ કર્યા બાદ આમ આદમી પાર્ટી જીંદની ધરતી પર પોતાના 2024ની લોકસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કર્યું છે.
તિરંગા યાત્રાના નામથી આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે સંપૂર્ણ તાકાત ફૂંકી દીધી છે.

બુધવારના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સુશીલ ગુપ્તાએ પ્રેસ ક્લબ ઑફ ચંડીગઢમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સામાન્ય જનતાને તિરંગા યાત્રા માટે આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ ઉપાધ્યક્ષ અનુરાગ ધાંડા, રાજ્ય પ્રચાર સમિતિના પ્રમુખ ડૉ. અશોક તંવર અને રાજ્ય ઉપાધ્યક્ષ ચિત્રા સરવરા ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. ગુપ્તાએ જણાવ્યું હતું કે, જીંદમાં જયંતિ દેવીના મંદિરને વિજયનું મંદિર માનવામાં આવે છે. પાંડવોએ પણ ત્યાં પૂજા કરી અને ભગવાન પરશુરામે પણ ત્યાં તપસ્યા કરી હતી. જીંદમાં પાંડુ પિંડારા છે, જ્યાં પિંડદાન કરવામાં આવે છે. હવે આમ આદમી પાર્ટી રાજ્યમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર, અપરાધ અને ડ્રગ્સના પિંડદાન કરશે.
તેમણે જણાવ્યું હતું કે, કુરુક્ષેત્ર જિલ્લામાં MSPની માંગણી કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરીને ક્રૂરતા દર્શાવવામાં આવી છે. બીજેપી-જેજેપી ગઠબંધન પર ડૉ. ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ગઠબંધન નથી, ઠગબંધન છે. અનુરાગ ધાંડાએ દાવો કર્યો હતો કે, તિરંગા યાત્રા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના પૂર્વ ચીફ ઓએસડી નીરજ દફ્તુઆર વિશે વધુ મોટા ખુલાસા કરશે.
આ પ્રસંગે પ્રચાર સમિતિના અધ્યક્ષ ડૉ. અશોક તંવર, પ્રદેશ ઉપાધ્યક્ષ ચિત્રા સરવરા, રાજ્ય સંયુક્ત સચિવ યોગેશ્વર શર્મા, પંચકુલા જિલ્લા પ્રમુખ રણજીત ઉપ્પલ, જિલ્લા ઉપાધ્યક્ષ સુરેન્દ્ર રાઠી, ઓબીસી પ્રદેશ અધ્યક્ષ ધીરજ યાદવ, યુવા પાંખના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. કરણવીર લોટ, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રિયદર્શિની સિંહ, જિલ્લા પ્રમુખ યુવા આર્ય સિંહ, જિલ્લા ઉપપ્રમુખ મનવીર રાણા મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
