Punjab News : જીંદમાં AAPએ શરૂ કરી તિરંગા યાત્રા, ભગવંત માન અને કેજરીવાલ રહ્યા ઉપસ્થિત
Punjab News : હરિયાણામાં નવેસરથી સંગઠન ઉભુ કર્યા બાદ આમ આદમી પાર્ટી જીંદની ધરતી પર પોતાના 2024ની લોકસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કર્યું છે.
તિરંગા યાત્રાના નામથી આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે સંપૂર્ણ તાકાત ફૂંકી દીધી છે.

બુધવારના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સુશીલ ગુપ્તાએ પ્રેસ ક્લબ ઑફ ચંડીગઢમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સામાન્ય જનતાને તિરંગા યાત્રા માટે આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ ઉપાધ્યક્ષ અનુરાગ ધાંડા, રાજ્ય પ્રચાર સમિતિના પ્રમુખ ડૉ. અશોક તંવર અને રાજ્ય ઉપાધ્યક્ષ ચિત્રા સરવરા ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. ગુપ્તાએ જણાવ્યું હતું કે, જીંદમાં જયંતિ દેવીના મંદિરને વિજયનું મંદિર માનવામાં આવે છે. પાંડવોએ પણ ત્યાં પૂજા કરી અને ભગવાન પરશુરામે પણ ત્યાં તપસ્યા કરી હતી. જીંદમાં પાંડુ પિંડારા છે, જ્યાં પિંડદાન કરવામાં આવે છે. હવે આમ આદમી પાર્ટી રાજ્યમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર, અપરાધ અને ડ્રગ્સના પિંડદાન કરશે.
તેમણે જણાવ્યું હતું કે, કુરુક્ષેત્ર જિલ્લામાં MSPની માંગણી કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરીને ક્રૂરતા દર્શાવવામાં આવી છે. બીજેપી-જેજેપી ગઠબંધન પર ડૉ. ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ગઠબંધન નથી, ઠગબંધન છે. અનુરાગ ધાંડાએ દાવો કર્યો હતો કે, તિરંગા યાત્રા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના પૂર્વ ચીફ ઓએસડી નીરજ દફ્તુઆર વિશે વધુ મોટા ખુલાસા કરશે.
આ પ્રસંગે પ્રચાર સમિતિના અધ્યક્ષ ડૉ. અશોક તંવર, પ્રદેશ ઉપાધ્યક્ષ ચિત્રા સરવરા, રાજ્ય સંયુક્ત સચિવ યોગેશ્વર શર્મા, પંચકુલા જિલ્લા પ્રમુખ રણજીત ઉપ્પલ, જિલ્લા ઉપાધ્યક્ષ સુરેન્દ્ર રાઠી, ઓબીસી પ્રદેશ અધ્યક્ષ ધીરજ યાદવ, યુવા પાંખના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. કરણવીર લોટ, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રિયદર્શિની સિંહ, જિલ્લા પ્રમુખ યુવા આર્ય સિંહ, જિલ્લા ઉપપ્રમુખ મનવીર રાણા મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
