Punjab News : પંજાબમાં ફરી ખુલી તમામ શાળાઓ, શિક્ષણ મંત્રીએ આપી આવી સલાહ
Punjab News : પંજાબમાં સોમવારના રોજ શાળાઓ ખુલશે, શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, સોમવાર, 17 જુલાઈ, 2023 થી પંજાબમાં તમામ શાળાઓ રાબેતા મુજબ ખુલશે.
રાજ્યના તમામ ડેપ્યુટી કમિશનરોને સૂચના આપવામાં આવી છે કે, પંચાયત, શિક્ષણ, સ્થાનિક સરકાર, સિંચાઈ, જાહેર બાંધકામ અથવા અન્ય વિભાગોના સંકલનમાં સરકારી/અનુદાનિત/માન્યતા પ્રાપ્ત અને ખાનગી શાળાઓની ઈમારતો બાળકો માટે સલામતી માટે જોખમી ન બને.

તમામ શાળાના વડાઓ અને વ્યવસ્થાપન સમિતિઓને પણ આજે તેમના સ્તરે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે કે, શાળાની ઇમારતો વિદ્યાર્થીઓ માટે સલામત છે અને તેઓ વિદ્યાર્થીઓની તમામ પ્રકારની સલામતી માટે જવાબદાર રહેશે. જો કોઈ શાળા કે વિસ્તારમાં પૂર આવે છે અથવા કોઈ શાળાની ઇમારતને નુકસાન થાય છે, તો તે શાળાઓમાં જ સંબંધિત જિલ્લાના ડેપ્યુટી કમિશનર રજા જાહેર કરશે.












Click it and Unblock the Notifications
