Punjab News : માન સરકારે નોંધાવી GSTમાં 28.2 ટકાની વૃદ્ધિ
Punjab News : પંજાબના નાણા મંત્રી હરપાલ ચીમાએ મંગળવારના રોજ જણાવ્યું હતું કે, તેણે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ક્રાંતિકારી ફેરફારો લાવીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.
પંજાબ રાજ્યમાં ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 5 મહિનામાં અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં GST આવકમાં 28.2 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

આ વાતનો ખુલાસો કરતાં નાણામંત્રી હરપાલ ચીમાએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ 5 મહિનામાં GST માંથી કુલ 6648.89 કરોડ રૂપિયાની આવક એકત્ર કરવામાં આવી હતી, જ્યારે આ સમયગાળા દરમિયાન કુલ 8524.17 કરોડ રૂપિયાની આવક GST માંથી એકત્ર કરવામાં આવી છે. આ નાણાકીય વર્ષમાં ઓગસ્ટ મહિના સુધી જીએસટીમાંથી 1875.28 કરોડ રૂપિયાની વધારાની આવક થઈ છે.
હરપાલ ચીમાએ કરવેરા વિભાગ દ્વારા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવેલી આવકની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન GST, એક્સાઈઝ ડ્યુટી, વેટ, CST અને PSDT માંથી એકત્ર થયેલી કુલ આવકની સરખામણીએ 17.49 ટકા વૃદ્ધિ થઈ છે.
નાણાપ્રધાન ચીમાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન ભગવંત માનની સરકાર દ્વારા નવી આબકારી નીતિના અમલીકરણ પછી નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીએ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન એક્સાઇઝની આવકમાં 41 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવવા છતાં, હજુ પણ ઊંચાઈને સ્પર્શી રહી છે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, આબકારી અને કરવેરા વિભાગના નિષ્ઠાવાન પ્રયાસો અને રાજ્યના લોકો દ્વારા આપવામાં આવેલા સમર્થનને કારણે આવકમાં આ વધારો શક્ય બન્યો છે. પંજાબ રાજ્યના નાણાકીય સ્વાસ્થ્યને મજબૂત કરવાના અભિયાનમાં સામાન્ય જનતાને અસરકારક રીતે ભાગ લેવાની તક આપવા માટે ટેક્સ વિભાગ દ્વારા મેરા બિલ અને આબકારી વિભાગ દ્વારા આબકારી QR લેબલ સિટિઝન જેવી મોબાઇલ એપ્લિકેશનો શરૂ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
