Punjab News : ટૂંક સમયમાં આરોગ્ય વિભાગમાં ભરતી કરશે માન સરકાર
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર આરોગ્ય ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. બલબીર સિંહે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભગવંત માનની દૂરંદેશી દ્રષ્ટિ મુજબ રાજ્ય સરકાર પંજાબને રોજગાર ક્ષેત્રે અનુકરણીય મોડેલ બનાવવા માટે કોઈ કસર છોડશે નહીં. આ પ્રતિબદ્ધતાના ભાગરૂપે, આરોગ્ય વિભાગ રાજ્યના યુવાનો માટે રોજગારીની વધુ તકો ઊભી કરવા નવી ખાલી જગ્યાઓની જાહેરાત કરવા માટે તૈયાર છે.

ડૉ. બલબીર સિંહ તેમની ફરિયાદોને કાળજીપૂર્વક સમજવા માટે આરોગ્ય વિભાગના ડિરેક્ટોરેટ ઑફિસમાં વિભાગના કર્મચારી સંગઠનો સાથે બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. આ બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિયામક ડૉ. આદર્શપાલ કૌર, ડાયરેક્ટર હેલ્થ સર્વિસ (FW) ડૉ. રવિન્દરપાલ કૌર અને ડિરેક્ટર ESI ડૉ. સીમા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. બલબીર સિંહે જણાવ્યું હતું કે, અગાઉની સરકારો કર્મચારીઓની વાજબી માંગણીઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે કર્મચારીઓમાં મોટા પાયે અશાંતિ ઊભી થઈ છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ કર્મચારીઓના યુનિયનો સાથે બેઠકો કરી રહ્યા છે, જેથી કરીને કર્મચારીઓની ફરિયાદોને કાળજીપૂર્વક સમજી શકાય અને સમયસર સૌહાર્દપૂર્ણ ઉકેલ મળી શકે. મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકાર કર્મચારીઓની ન્યાયી માંગણીઓ પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે.
ડૉ. બલબીર સિંહે કર્મચારીઓને પ્રામાણિકતા અને સમર્પણ સાથે કામ કરવા જણાવ્યું હતું, જેથી સામાન્ય લોકોને આરોગ્ય સેવાઓ મેળવવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. મંત્રીએ કર્મચારીઓને તેમની માંગણીઓને પૂર્ણ કરવા માટે કોઈપણ પ્રકારના આંદોલનનો આશરો ન લેવાની પણ અપીલ કરી હતી. કારણ કે, સરકાર તમામ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે સંપૂર્ણ ઇમાનદારી સાથે સક્રિયપણે કાર્યરત છે. તેથી જ લોકોના સ્વાસ્થ્યને દાવ પર લગાવીને આવી યુક્તિઓ અપનાવીને સરકાર પર દબાણ લાવવાની જરૂર નથી.
આ બેઠકમાં ફાર્મસી ઓફિસર્સ એસોસિએશન, મલ્ટીપર્પઝ હેલ્થ એમ્પ્લોઈઝ યુનિયન, કોન્ટ્રાક્ટ સ્ટાફ નર્સ યુનિયન, ઓપથેલ્મિક ઓફિસર્સ યુનિયન, એએનએમ યુનિયન, સ્ટેનો ટાઈપિસ્ટ યુનિયન, કોવિડ વોરિયર્સ યુનિયન અને રાજીન્દ્રા મેડિકલ કોલેજ આઉટસોર્સ્ડ એમ્પ્લોઈઝ યુનિયન વગેરેના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, યુનિયનના નેતાઓએ આરોગ્ય મંત્રીની પહેલ પર સંતોષ વ્યક્ત કર્યો હતો કે, તેમણે પોતે કર્મચારી સંગઠનોને આમંત્રણ આપ્યું હતું અને તેમની ફરિયાદો સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી.












Click it and Unblock the Notifications
