Punjab News : CM ભગવંત માને કરી મણિપુરની ઘટનાની નિંદા, PM પાસે કરી કડક કાર્યવાહીની માંગ

Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મણિપુરમાં 2 મહિલાને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવા બદલની કથિત ઘટનાની નિંદા કરી હતી. આ સાથે ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જઘન્ય અપરાધ કરવાવાળાની સામે કડક કાર્યવાહી સુનિશ્ચિચ કરવાની અપીલ કરી છે.

બુધવારના રોજ 4 મેનો વીડિયો સામે આવ્યો, ત્યારથી મણિપુરના પહાડી વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સામે પક્ષના કેટલાક લોકો એક સમુદાયની બે મહિલાઓને નગ્ન કરી રહ્યા છે.

CM Bhagwant Mann

આ વીડિયો ગુરુવારના રોજ ઇન્ડિજીનસ ટ્રાઇબલ લીડર્સ ફોરમ (ITLF)ની પ્રસ્તાવિત કૂચના એક દિવસ પહેલા સામે આવ્યો છે. ભગવંત માને ટ્વિટ કર્યું હતું કે, આવી ઘટનાઓ આપણા સમાજમાં સહન કરી શકાતી નથી.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, મણિપુરમાં બનેલી ઘટના ખૂબ જ શરમજનક છે અને તેની ગમે તેટલી નિંદા કરવામાં આવે. આપણા સમાજમાં આ પ્રકારની ઘટનાને સહન કરી શકાય નહીં.

મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે, હું વડાપ્રધાનને અપીલ કરું છું કે, આ ઘૃણાસ્પદ કૃત્યના અપરાધીઓ સામે કડક અને અનુકરણીય પગલાં લેવામાં આવે. આ ઉપરાંત મણિપુરની પરિસ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે, જે દિવસેને દિવસે બગડતી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X