Punjab News : મકાનોના નિર્માણ માટે 25000 લાભાર્થીઓને 101 કરોડની સહાય, CM માને આપ્યા ચેક
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર ગરીબોના ઉત્થાન માટે ઘણી સારી કામગીરી કરી રહી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) યોજના હેઠળ મકાનોના નિર્માણ માટે 25,000 પાત્ર લાભાર્થીઓને નાણાકીય સહાય તરીકે રૂપિયા 101 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ દરેક લાભાર્થીને 1.75 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે.

આ લાભાર્થીઓને ચેક અર્પણ કરવા PAU ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી માન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર સમાજના તમામ વર્ગો, ખાસ કરીને આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્યના તમામ નાગરિકોને ભોજન, વસ્ત્ર અને આશ્રયની જરૂરિયાતો પૂરી પાડવાની સરકારની ફરજ છે. તેમની સરકાર રાજ્યના વિકાસ પર ભાર મૂકીને સમાજના દરેક વર્ગનું કલ્યાણ સુનિશ્ચિત કરવા અને લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે કોઈ કસર છોડશે નહીં.
સ્થાનિક સરકારના મંત્રી બલકાર સિંહ, ધારાસભ્ય મદન લાલ બગ્ગા, અશોક પરાશર પપ્પી, સર્વજીત કૌર મનુકે, ગુરપ્રીત બસ્સી ગોગી, દલજીત સિંહ ગ્રેવાલ, કુલવંત સિંહ સિદ્ધુ, હરદીપ સિંહ મુંડિયન, જગતાર સિંહ દયાલપુરા, હકમ સિંહ કોન્ટ્રાક્ટર, અધ્યક્ષ નવજોત સિંહ ઝર્ગ હાજર હતા. આ પ્રસંગે , સુરેશ ગોયલ, ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટના ચેરમેન તરસેમ સિંહ ભિંડર, જિલ્લા આયોજન બોર્ડના અધ્યક્ષ શરણપાલ સિંહ મક્કર, જિલ્લા પ્રમુખ હરભુપિન્દર સિંહ ધરૌર, ડૉ. કેએનએસ કાંગ કે અને અન્ય ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તેમની પહેલાના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ તિજોરી ખાલી હોવાનો અવાજ ઉઠાવતા હતા, પરંતુ તેમની સરકાર રાજ્યની તિજોરીનો એક-એક પૈસો લોકોના કલ્યાણ માટે ખર્ચી રહી છે. અગાઉ પણ ભંડોળની કોઈ અછત નહોતી, પરંતુ તે સમયની સરકારમાં દૂરદર્શિતાનો અભાવ હતો, પરંતુ તેમની સરકાર તમામ ભંડોળનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરશે.
ભગવંત માને જણાવ્યું હતું કે, અગાઉની સરકારો દરમિયાન આ ભંડોળ ભ્રષ્ટ નેતાઓના ખિસ્સામાં જતું હતું, પરંતુ તેમની સરકારે ચોરીને કડક રીતે અટકાવી હતી, જેના કારણે હવે આ ભંડોળનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે થાય છે.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ગામડાઓમાં સફાઈ અને અન્ય કામો માટે રાજ્ય સરકાર દ્વારા દરેક પંચાયતોને ટ્રેક્ટર આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં મોટા ગામોને ટ્રેક્ટર આપવામાં આવશે, જેથી કરીને આ ગામોના વિકાસને વેગ મળી શકે. ગામડાઓમાં વિકાસના કામો ઉપરાંત આ ટ્રેકટરો ખેતીના હેતુ માટે ટ્રેક્ટર વગરના ખેડૂતો માટે મદદરૂપ થશે.












Click it and Unblock the Notifications
