Punjab News: પંજાબની યુવા પેઢી માટે ખુશખબર, CM ભગવંત માને કરી મોટી જાહેરાત

Punjab News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શહીદ કરતાર સિંહ સરભાને તેમના શહીદ દિવસ પર સરાભા ગામમાં જઈને શ્રદ્ધાંજલિ આપી. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી દુનિયા છે, ત્યાં સુધી શહીદો જીવિત રહેશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, શહીદોને યાદ કરવાની આપણી ફરજ છે. આ સ્વતંત્રતા મેળવવા માટે વ્યક્તિને ખૂબ જ મોંઘી કિંમત ચૂકવવી પડી હતી. આપણે શહીદોના પગની ધૂળ સમાન નથી, પણ થોડું વિચારીને ચાલશું, તો બધું સારું થઈ જશે.

Punjab News

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, જે સમુદાય પોતાની વિરાસતને ભૂલી જાય છે, તેનો નાશ થાય છે. હલવારા એરપોર્ટ 70 ટકા તૈયાર છે અને ટૂંક સમયમાં અહીં કામગીરી શરૂ થશે. તેનું નામ શહીદ કરતાર સિંહ સરાભા પણ રાખવામાં આવ્યું છે, કારણ કે તે તેમની જમીન છે.

ભગવંત માને કહ્યું હતું કે, આ શહીદોની ભૂમિ છે, તેમને માંગ પત્ર આપવાને બદલે લોકોએ તેમને અધિકાર પત્ર આપવો જોઈએ, કારણ કે તે તેમનો અધિકાર છે. રાજ્ય સરકારનો શપથ ગ્રહણ સમારોહ રાજભવન ખાતે જ થાય છે, પરંતુ અમે ખટકર કલાનમાં શપથ લીધા હતા. શહીદોને વચન આપ્યું કે, તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય.

યુવાનો માટે મોટી જાહેરાત કરતા ભગવંત માને કહ્યું કે, જો યુવાનો અભ્યાસમાં મેરીટ લાવશે, તો સરકાર પોતે જ દરવાજા ખખડાવશે અને તેમને નોકરી આપશે. કોઈપણ પ્રકારની ભલામણ કામ કરશે નહીં.

મુખ્યમંત્રી માનને પંજાબના યુવાનોને સખત મહેનત કરવા કહ્યું છે. પંજાબમાં યુ.પી.એસ.સી. કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે, જ્યાં દરેક વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. પંજાબના યુવાનોએ મોટા હોદ્દા પર આવીને પંજાબની પ્રગતિમાં ભાગ લેવો જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X