Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Punjab News : CM ભગવંત માન ખુલ્લેઆમ બોલ્યા, સતલજ નદીનું પાણી ટીપું પણ કોઇની સાથે વહેંચે માન સરકાર

Punjab News : ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠક દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને માંગ કરી છે કે, ચંદીગઢને પંજાબને સોંપવામાં આવે. આ સાથે તેમણે સતલજ-યમુના કેનાલને જોડતી કેનાલના નિર્માણનો વિરોધ કર્યો છે.

વાસ્તવમાં પંજાબ અને હરિયાણા વચ્ચે સતલજ અને યમુનાના પાણીને લઈને ઘણીવાર તણાવ રહે છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી ભગવંત સિંહ માને જણાવ્યું હતું કે, જો આમ કરવામાં આવશે, તો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા થઈ શકે છે.

Punjab News

આ સિવાય મુખ્યમંત્રી માનને પંજાબ યુનિવર્સિટી દ્વારા હરિયાણાની કોલેજને માન્યતા આપવાનો પણ વિરોધ કર્યો હતો. ભગવંત માને હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર સેસ લાદવાનો પણ વિરોધ કર્યો છે. મુખ્યમંત્રી માનને ભાખરા મેનેજમેન્ટ બોર્ડના સભ્ય બનાવવાની રાજસ્થાન સરકારની માંગનો પણ વિરોધ કર્યો છે.

મુખ્યમંત્રીએ ગેરકાયદેસર ટ્રાવેલ એજન્ટો સામે પણ ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ટ્રાવેલ એજન્ટો સામે કેસ નોંધવામાં આવશે અને ડ્રોનનો ખતરો ઘટાડવાની પણ જરૂર છે.

મુખ્યમંત્રી ભગવંત માને માંગ કરી છે કે, પઠાણકોટમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડના પ્રાદેશિક કેન્દ્રની સ્થાપનાનું કામ ઝડપથી કરવામાં આવે અને પૂર રાહત માટેના ધોરણોમાં સુધારો કરવામાં આવે.

ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠકમાં બોલતા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબની રાજધાની ચંદીગઢને 21 સપ્ટેમ્બર, 1953ના રોજ શિમલાથી ખસેડવામાં આવી હતી. જે બાદ 1966માં ચંદીગઢ શહેરને પંજાબ રેકગ્નિશન એક્ટ 1966 હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જે પછી આજ સ્થિતિ ચાલુ છે, જે રાજ્યની જનતા સાથે અન્યાય છે.

ચંદીગઢને પંજાબની નવી રાજધાની બનાવવામાં આવી હતી, તે પંજાબ પાસેથી જમીન મેળવીને બનાવવામાં આવી હતી. ભગવંત માને માંગ કરી હતી કે, ચંદીગઢને પંજાબમાં સામેલ કરવું જોઈએ.

અત્રે નોંધનીય છે કે, ચંદીગઢ પંજાબ અને હરિયાણાની સામાન્ય રાજધાની છે. NZCની બેઠકની અધ્યક્ષતા અમિત શાહે કરી હતી. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને ચંદીગઢનો સમાવેશ થાય છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, સતલજનું પાણી સુકાઈ ગયું છે, તેથી તેને વહેંચવાનો પ્રશ્ન જ નથી. પાણીનું એક ટીપું પણ વહેંચી શકાતું નથી. તેના બદલે ગંગા અને યમુનાનું પાણી સતલજ નદી મારફતે પંજાબ મોકલવું જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X