Punjab News : CM માને બોલાવી પ્રેસ કોન્ફરન્સ, પૂરની સ્થિતિ પર આપ્યું નિવેદન

Punjab News : મુખ્યમંત્રી ભગવંત માન આજે ચંદીગઢમાં પંજાબમાં પૂરની સ્થિતિ અંગે માહિતી આપશે. તેમણે પંજાબમાં આ અંગે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે પંજાબના હોશિયારપુર, રૂપનગર, ગુરદાસપુર, કપૂરથલા અને ફિરોઝપુર સહિત પાંચ જિલ્લાઓ ભાકરા અને પોંગ ડેમમાંથી પાણી છોડવાના કારણે ફરી પૂરની ઝપેટમાં આવી ગયા છે.

પુરના કારણે હોશિયારપુરમાં સ્થિતિ વણસી ગઈ છે. બચાવ માટે સેના અને એનડીઆરએફને અહીં ઉતારવા પડ્યા. સ્પેશિયલ ઓપરેશન દરમિયાન કુલ 766 લોકોને બચાવવામાં આવ્યા હતા. જેમાંથી 213ને હેલિકોપ્ટર દ્વારા, 422ને બોટ દ્વારા અને 131ને અન્ય માધ્યમથી બહાર કાઢવામાં આવ્યા હતા. બિયાસ અને સતલજ કાંઠાના ડઝનબંધ ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે.

Punjab News

ભગવંત માને જણાવ્યું છે કે, રાજ્યમાં પૂરની સ્થિતિ નિયંત્રણમાં છે અને સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. પહાડી વિસ્તારોમાંથી વધુ પાણી છોડવા અંગે રાજ્ય સરકાર હિમાચલ સરકાર અને ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB) સાથે સતત સંપર્કમાં છે. પૉંગ ડેમ અને રણજીત સાગર ડેમમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X