Punjab News : સુરક્ષા ઘેરો તોડીને પૂર પીડિતોને મળ્યા CM માન, અધિકારીઓને કહી આ વાત
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. હાલ પંજાબમાં પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે. ભગવંત માન સરકાર પૂર પ્રભાવિતોની મદદ માટે સતત ખડેપગે કામ કરી રહી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન શુક્રવારના રોજ ફિરોઝપુર ગામ નિહાલા લવેરાના ગ્રામજનોને મળ્યા હતા. CM ભગવંત માન પૂર પીડિતોની સ્થિતિની સમીક્ષા કરવા ફિરોઝપુર પહોંચ્યા હતા. આ દરમિયાન ગ્રામજનોની મોટી ભીડ એકઠી થવા લાગી હતી.

વધતી ભીડને જોઈને, પંજાબ પોલીસ અને સીએમ સિક્યોરિટીએ ગામલોકોને પાછળ ધકેલવાનું શરૂ કરી દીધું હતી. સીએમ ભગવંતે સુરક્ષા અધિકારીઓને કહ્યું કે, આ લોકોને આગળ આવવા દો, આ આપણા જ લોકો છે. આ લોકો પોતાની વાત રજુ કરવા માંગે છે.
ગ્રામજનોને મળ્યા બાદ મુખ્યમંત્રીએ બોટમાં નિહાલા લવેરા ખાતે વિવિધ પૂર પ્રભાવિત ગામોની મુલાકાત લીધી હતી. ભગવંત માને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પૂર પીડિતો માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક ખાસ ગીરદાવરી હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત પાક સિવાય જે ગામોમાં ઘરો અને પશુધનને નુકસાન થયું છે ત્યાં પીડિતોને સંપૂર્ણ વળતર આપવામાં આવશે.
ભગવંત માને જણાવ્યું હતું કે, ખેડૂતોને બિયારણ અને ડાંગરની અછતનો સામનો કરવા દેવામાં આવશે નહીં. સરકારે પહેલાથી જ વિવિધ વિભાગો સાથે સંકલન કર્યું છે, પૂરના પાણી ઓસરતા જ ખેતરોમાં ડાંગરની ખેતી ફરીથી શરૂ કરવામાં આવશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબ સરકારના તમામ અધિકારીઓ સાથે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો આ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોની સેવા કરવામાં લાગેલા છે.
અત્રે નોંધનીય બાબત છે કે, ફિરોઝપુરમાં સતલજ નદીના પાણીને કારણે લગભગ 15 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. અનેક ગામોમાં પૂરના પાણી ઘૂસી જતાં ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સીએમ ભગવંત માન પણ બપોર બાદ સબ ડિવિઝન શાહકોટના લોહિયા વિસ્તારના પૂરગ્રસ્ત ગામોની સ્થિતિની સમીક્ષા કરશે.
ઉલ્લેખનીય છે કે પટિયાલા જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, હરિયાણા હંમેશા પંજાબ પાસે પાણીની માંગ કરતું રહે છે. આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
નોંધનીય બાબત છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, રાજસ્થાન પણ પંજાબ પાસે પાણીમાં ભાગ માંગે છે. હિમાચલ પ્રદેશ પંજાબ પહોંચી રહેલા પાણી પર રોયલ્ટી માંગી રહી છે. ભાગ માંગવા બધા પહોંચી જાય છે, પણ ડૂબવું માત્ર પંજાબને જ પડે છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
