Punjab News : પંજાબ સરકાર આપશે પૂર પ્રભાવિતોને વળતર, CM ભગવંત માને કરી જાહેરાત
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
હાલ ભારે વરસાદને કારણે પંજાબમાં ભારે તારાજી સર્જાઇ છે. આ વચ્ચે માન સરકાર પૂર પ્રભાવિતોના બચાવ અને સહાય માટે સતત કાર્ય કરી રહી છે.

પંજાબ સરકાર હવે છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદથી થયેલા નુકસાનની ભરપાઈ કરશે. આ સંદર્ભમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારના રોજ જાહેરાત કરી હતી કે, સમગ્ર રાજ્યમાં ભારે અને અવિરત વરસાદને કારણે લોકોને થયેલા નુકસાનની સરકાર વળતર આપશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તેઓ સમગ્ર રાજ્યમાંથી નિયમિત અપડેટ લઈને દરેક ક્ષણે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
પંજાબના જિલ્લાઓમાં જળસ્તર અને રાહતના પગલાં અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયમિત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ ગંભીર સંકટની ઘડીમાં લોકોને મદદ કરવી એ સરકારની ફરજ છે અને આ ઉમદા હેતુ માટે કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી.
મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તારોમાં છેવાડાના વ્યક્તિ સુધી પણ મદદ પહોંચાડવામાં આવી રહી છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ડેમ સુરક્ષિત છે અને પાણી ખતરાના નિશાનથી નીચે વહી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બુધવાર સાંજ સુધીમાં રાજ્યમાં દરેક રીતે સ્થિતિ નોંધપાત્ર રીતે સુધરશે.
આ સાથે મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પહેલાથી જ તમામ કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ પોતપોતાના વિસ્તારોમાં છે અને ગંભીર સંકટની આ ઘડીમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહ્યા છે. પાણીના સ્તરમાં વધારો થવાથી લોકોના જીવન અને સંપત્તિને સુરક્ષિત રાખવા માટે એક વિસ્તૃત મિકેનિઝમ મૂકવામાં આવી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
