Punjab News : પંજાબ સરકાર આપશે પૂર પ્રભાવિતોને વળતર, CM ભગવંત માને કરી જાહેરાત
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
હાલ ભારે વરસાદને કારણે પંજાબમાં ભારે તારાજી સર્જાઇ છે. આ વચ્ચે માન સરકાર પૂર પ્રભાવિતોના બચાવ અને સહાય માટે સતત કાર્ય કરી રહી છે.

પંજાબ સરકાર હવે છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદથી થયેલા નુકસાનની ભરપાઈ કરશે. આ સંદર્ભમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારના રોજ જાહેરાત કરી હતી કે, સમગ્ર રાજ્યમાં ભારે અને અવિરત વરસાદને કારણે લોકોને થયેલા નુકસાનની સરકાર વળતર આપશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તેઓ સમગ્ર રાજ્યમાંથી નિયમિત અપડેટ લઈને દરેક ક્ષણે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
પંજાબના જિલ્લાઓમાં જળસ્તર અને રાહતના પગલાં અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયમિત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ ગંભીર સંકટની ઘડીમાં લોકોને મદદ કરવી એ સરકારની ફરજ છે અને આ ઉમદા હેતુ માટે કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી.
મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તારોમાં છેવાડાના વ્યક્તિ સુધી પણ મદદ પહોંચાડવામાં આવી રહી છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ડેમ સુરક્ષિત છે અને પાણી ખતરાના નિશાનથી નીચે વહી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બુધવાર સાંજ સુધીમાં રાજ્યમાં દરેક રીતે સ્થિતિ નોંધપાત્ર રીતે સુધરશે.
આ સાથે મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પહેલાથી જ તમામ કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ પોતપોતાના વિસ્તારોમાં છે અને ગંભીર સંકટની આ ઘડીમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહ્યા છે. પાણીના સ્તરમાં વધારો થવાથી લોકોના જીવન અને સંપત્તિને સુરક્ષિત રાખવા માટે એક વિસ્તૃત મિકેનિઝમ મૂકવામાં આવી છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
