Punjab News: પંજાબ મુખ્યમંત્રી ભગવંત માને પાઠવી પ્રકાશ પર્વ પર શુભેચ્છા
Punjab News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુ રામદાસજીને તેમના પ્રકાશ પર્વ પર અભિનંદન પાઠવ્યા છે. આ અવસર પર, ગુરુ રામદાસ જીના પ્રકાશ પર્વ પર સુવર્ણ મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
સુવર્ણ મંદિરની સાથે અમૃતસરને પણ સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું છે. રાત્રે 12 કલાકે સુવર્ણ મંદિરમાં આતશબાજી શરૂ થઈ હતી અને રોશનીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી શરૂ થયો હતો.

પ્રકાશ પર્વની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પ્રકાશ પર્વની આપ સૌને શુભકામનાઓ. ગુરુ રામદાસ જી ના આશીર્વાદ આપણા બધા પર રહે. ઉલ્લેખનીય છે કે, પ્રકાશ પર્વનો અર્થ પ્રકાશનો દિવસ છે, જે આપણને ગુરુ દ્વારા આપવામાં આવેલા પ્રકાશ દ્વારા જ્ઞાનનો માર્ગ બતાવે છે. શીખોના ચોથા ગુરુ શ્રી રામદાસજીનું પ્રકાશ પર્વ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
શીખ ગુરુ રામદાસજીનો જન્મ લાહોરમાં થયો હતો. અમૃતસર શહેરની સ્થાપનાનો શ્રેય તેમને જાય છે. તેમની પ્રેરણાથી આ શહેરની સ્થાપના થઈ હતી. ગુરુ રામદાસે 638 સ્તોત્રોની રચના કરી, જે ગુરુ ગ્રંથ સાહિબના લગભગ 10 ટકા સ્તોત્રો છે. ગુરુ રામદાસ માત્ર પ્રસિદ્ધ કવિ જ ન હતા, પરંતુ શાસ્ત્રીય સંગીતમાં પણ નિપુણ હતા, તેમણે 30 પ્રાચીન રાગોમાં તેમની રચનાઓ કરી હતી.
અમૃતસરના પ્રકાશ પર્વની વાત કરીએ, તો હરમંદિર સાહિબને 35 પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મુંબઈના 125 કલાકારો અને લગભગ 100 ભક્ત કલાકારોએ મંદિરને શણગાર્યું છે. મલેશિયા, સિંગાપોર, બેંગકોક, દિલ્હી, કોલકાતા અને ઉજ્જૈનથી લાવવામાં આવેલા ફૂલોની સાથે મંદિરમાં સ્થાનિક ફૂલોથી હરમંદિર સાહિબને શણગારવામાં આવ્યું છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
