Punjab News: પંજાબ મુખ્યમંત્રી ભગવંત માને પાઠવી પ્રકાશ પર્વ પર શુભેચ્છા

Punjab News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુ રામદાસજીને તેમના પ્રકાશ પર્વ પર અભિનંદન પાઠવ્યા છે. આ અવસર પર, ગુરુ રામદાસ જીના પ્રકાશ પર્વ પર સુવર્ણ મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

સુવર્ણ મંદિરની સાથે અમૃતસરને પણ સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું છે. રાત્રે 12 કલાકે સુવર્ણ મંદિરમાં આતશબાજી શરૂ થઈ હતી અને રોશનીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી શરૂ થયો હતો.

Punjab News

પ્રકાશ પર્વની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પ્રકાશ પર્વની આપ સૌને શુભકામનાઓ. ગુરુ રામદાસ જી ના આશીર્વાદ આપણા બધા પર રહે. ઉલ્લેખનીય છે કે, પ્રકાશ પર્વનો અર્થ પ્રકાશનો દિવસ છે, જે આપણને ગુરુ દ્વારા આપવામાં આવેલા પ્રકાશ દ્વારા જ્ઞાનનો માર્ગ બતાવે છે. શીખોના ચોથા ગુરુ શ્રી રામદાસજીનું પ્રકાશ પર્વ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

શીખ ગુરુ રામદાસજીનો જન્મ લાહોરમાં થયો હતો. અમૃતસર શહેરની સ્થાપનાનો શ્રેય તેમને જાય છે. તેમની પ્રેરણાથી આ શહેરની સ્થાપના થઈ હતી. ગુરુ રામદાસે 638 સ્તોત્રોની રચના કરી, જે ગુરુ ગ્રંથ સાહિબના લગભગ 10 ટકા સ્તોત્રો છે. ગુરુ રામદાસ માત્ર પ્રસિદ્ધ કવિ જ ન હતા, પરંતુ શાસ્ત્રીય સંગીતમાં પણ નિપુણ હતા, તેમણે 30 પ્રાચીન રાગોમાં તેમની રચનાઓ કરી હતી.

અમૃતસરના પ્રકાશ પર્વની વાત કરીએ, તો હરમંદિર સાહિબને 35 પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મુંબઈના 125 કલાકારો અને લગભગ 100 ભક્ત કલાકારોએ મંદિરને શણગાર્યું છે. મલેશિયા, સિંગાપોર, બેંગકોક, દિલ્હી, કોલકાતા અને ઉજ્જૈનથી લાવવામાં આવેલા ફૂલોની સાથે મંદિરમાં સ્થાનિક ફૂલોથી હરમંદિર સાહિબને શણગારવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X