Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Punjab News : રીઢા ગુનેગારો માટે બનશે હાઈટેક જેલ, CM ભગવંત માનનો નિર્ણય

Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માલેરકોટલા પહોંચ્યા હતા.

આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં નવી હાઈટેક જેલ બનાવવાની જાહેરાત કરી છે. લુધિયાણા નજીક હાઈ સિક્યોરિટી ડિજિટલ જેલ બનાવવામાં આવશે.

Bhagwant Mann

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ જેલ માટે કેન્દ્ર તરફથી 100 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ડિજિટલ જેલમાં ન્યાયાધીશ વ્યક્તિગત રીતે આવીને સુનાવણી હાથ ધરશે.

આ જેલમાં જજ ગ્રાઉન્ડ ફ્લોર પર જ બેસશે, જે સ્થળ પર જ પોતાનો નિર્ણય આપશે. આની ઉપર કેદીઓને રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે, જેલથી કોર્ટમાં જતી વખતે જે ઘટનાઓ બને છે તે ન બને. કારણ કે, જેલમાંથી કોર્ટ જતી વખતે ઘણા કેદીઓ ભાગવાનો પ્રયાસ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X