Punjab News : રીઢા ગુનેગારો માટે બનશે હાઈટેક જેલ, CM ભગવંત માનનો નિર્ણય
Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માલેરકોટલા પહોંચ્યા હતા.
આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં નવી હાઈટેક જેલ બનાવવાની જાહેરાત કરી છે. લુધિયાણા નજીક હાઈ સિક્યોરિટી ડિજિટલ જેલ બનાવવામાં આવશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ જેલ માટે કેન્દ્ર તરફથી 100 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ડિજિટલ જેલમાં ન્યાયાધીશ વ્યક્તિગત રીતે આવીને સુનાવણી હાથ ધરશે.
આ જેલમાં જજ ગ્રાઉન્ડ ફ્લોર પર જ બેસશે, જે સ્થળ પર જ પોતાનો નિર્ણય આપશે. આની ઉપર કેદીઓને રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.
આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે, જેલથી કોર્ટમાં જતી વખતે જે ઘટનાઓ બને છે તે ન બને. કારણ કે, જેલમાંથી કોર્ટ જતી વખતે ઘણા કેદીઓ ભાગવાનો પ્રયાસ કરે છે.












Click it and Unblock the Notifications
