Punjab News : કારગિલ વિજય દિવસ પર CM માનની મોટી જાહેરાત, શહીદના પરિવારને આપી આ ભેટ
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કારગિલ વિજય દિવસ નિમિત્તે વોર હીરોઝ મેમોરિયલ, અમૃતસર ખાતેથી મીડિયાને સંબોધન કર્યું હતું. ભગવંત માને કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા બહાદુર જવાનોને સલામ કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભગવંત માન શહીદ જવાનોના પરિવારજનોને પણ મળ્યા હતા. જેમણે દેશ માટે બલિદાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જો આપણા યુવાનોએ બહાદુરી ન બતાવી હોત, તો આજે દેશનો નક્શો અલગ હોત.

પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૈન્યના જવાનો જો કોઈ અકસ્માતમાં શહીદ થાય છે, તો તેમને એક્સ-ગ્રેશિયા મળશે. જો કોઈ ઘાયલ થાય છે, તો તેને 10 લાખ રૂપિયા આપવામાં આવશે, જે 50 ટકા હશે.
પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધના શહીદોનું ફેમિલી પેન્શન 6,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યું છે. 51 થી 75 ટકા ઇજાના કિસ્સામાં, સરકાર 20 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપશે. જો 75 થી 99 ટકા ઇજાગ્રસ્ત છે, તો તેમને 40 લાખ રૂપિયા આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
