Punjab News : પંજાબ સરકારે સ્વતંત્રતા દિવસ પર આપી ભેટ, 76 મોહલ્લા ક્લિનિક્સનું ઉદ્ઘાટન
Punjab News : સ્વતંત્રતા દિવસની 76મી વર્ષગાંઠ પર પંજાબની ભગવંત માન સરકારે રાજ્યના લોકોને મોટી ભેટ આપી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 14 ઓગસ્ટના રોજ વધુ 76 આમ આદમી ક્લિનિક્સનું ઉદ્ઘાટન કર્યું હતું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ માન સરકારના વખાણ કરતા ટ્વિટ કરીને મુખ્યમંત્રી અને પંજાબના લોકોને આ સીમાચિહ્નરૂપ પગલા માટે અભિનંદન પાઠવ્યા હતા.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, લોકોના કલ્યાણ માટે આ એક ઐતિહાસિક પહેલ છે. તેમણે જણાવ્યું હતું કે, હવે પંજાબની પ્રગતિને કોઈ રોકી શકશે નહીં. કારણ કે, રાજ્યની જનતાએ તેમના સારા ભવિષ્ય માટે ભગવંત માનની સરકારને પસંદ કરી છે.
આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, લોકોને તેમના ઘરઆંગણે પ્રમાણભૂત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે આ સ્વાસ્થ્ય ક્રાંતિના નવા યુગની શરૂઆત છે.
તેમણે જણાવ્યું હતું કે, લોકોને મફત દવાઓ આપવા ઉપરાંત, આ ક્લિનિક્સ 41 પ્રકારના પરીક્ષણોની મફત સેવાઓ પણ પ્રદાન કરે છે. સારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આ પગલું લોકોના જીવનને લંબાવવામાં મદદ કરશે.












Click it and Unblock the Notifications
