Punjab News : SC વિદ્યાર્થીઓ માટે પંજાબ સરકારની નવી પહેલ, ફાળવ્યા 25 કરોડ રૂપિયા
Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પંજાબમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પંજાબ સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે પંજાબ સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023-24 હેઠળ 25 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતાં સામાજિક ન્યાય સશક્તિકરણ અને લઘુમતી મંત્રી ડૉ. બલજીત કૌરે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત પુસ્તકોની સપ્લાયની યોજના હેઠળ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જે માટે આ રકમ બહાર પાડવામાં આવી છે. આ સાથે ત્રિમાસિક પ્રતિબંધોમાંથી મુક્તિ આપીને આ રકમ એક જ વારમાં ખર્ચ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
ડૉ. બલજીત કૌરે જણાવ્યું હતું કે, મફત પાઠ્ય પુસ્તકોની સપ્લાયની યોજનાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, SC વિદ્યાર્થીઓને નાણાકીય બોજ વિના શૈક્ષણિક સંસાધનો મળી રહે.
ડૉ બલજીત કૌરે જણાવ્યું હતું કે, પંજાબ સરકારનું આ પગલું વિદ્યાર્થીઓના સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેબિનેટ મંત્રી ડૉ બલજીત કૌરે વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે, SC વિદ્યાર્થીઓના વિકાસને લગતી યોજનાઓ વિલંબ કર્યા વગર અમલમાં મૂકવી જોઈએ.












Click it and Unblock the Notifications
