Punjab News : મનરેગા કર્મચારીઓના પક્ષમાં પંજાબ સરકારે લીધો મોટો નિર્ણય

Punjab News : પંજાબની ભગવંત માન સરકાર મનરેગા હેઠળ કામ કરતા કર્મચારીઓને વિશેષ સુવિધા આપવા જઈ રહી છે. ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે આ અંગે માહિતી આપી છે.

પંજાબના CM ભગવંત માને જણાવ્યું હતું કે, મનરેગા હેઠળ કામ કરતા કર્મચારીઓને કર્મચારી રાજ્ય વીમાના દાયરામાં લાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

Punjab government

ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી લાલજીત સિંહ ભુલ્લર ગુરુવારના રોજ મનરેગા કર્મચારી યુનિયનના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ભગવંત માન સરકાર મનરેગા હેઠળ કામ કરતા કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.

આ બેઠકમાં બોલતા સમયે મંત્રી ભુલ્લરે જણાવ્યું હતું કે, ગત વર્ષ દરમિયાન પંજાબ રાજ્ય દ્વારા મનરેગા હેઠળ કામ કરતા કર્મચારીઓના અથાક પ્રયાસોને કારણે સમગ્ર દેશમાં મનરેગા યોજનાના અમલીકરણમાં રાજ્યની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

મીડિયા અહેવાલો અનુસાર, મનરેગા કર્મચારી સંઘે અધિકારીઓની ફરિયાદ ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી લાલજીત સિંહ ભુલ્લરને કરી હતી. જેના પર તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, જે અધિકારી-કર્મચારીઓ આદેશનું પાલન ન કરતા હોય તેઓને મનરેગા યોજના હેઠળ નોકરી પર રાખવામાં આવેલા કર્મચારીઓની કોન્ટ્રાક્ટની મુદતમાં એક વર્ષનો વધારો કરવા અંગેનો પત્ર આપવામાં આવે.

આ સાથે ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રીએ મનરેગાના એવા કર્મચારીઓની તપાસના આદેશ પણ આપ્યા છે, જેમને તેમના લક્ષ્યાંક પૂરા ન કરવા બદલ કાઢી મૂકવામાં આવ્યા છે. ગ્રામ વિકાસ અને પંચાયત મંત્રીએ મનરેગામાં સ્ટાફની અછતને દૂર કરવા માટે યોગ્ય તાલીમ આપવાનો આદેશ પણ આપ્યો હતો. તેમજ સોશિયલ ઓડિટ કરતી ટીમોને યોગ્ય તાલીમ આપવા આદેશ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X