Punjab News : પંજાબના વિકાસની ગતિમાં સતત અવરોધ ઉભી કરી રહી છે કેન્દ્ર સરકાર - હરજોત સિંહ બેન્સ

Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. આ વચ્ચે પંજાબના વિકાસમાં અવરોધ ઉભો કરવાનો આરોપ કેન્દ્ર સરકાર પર રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવ્યો હતો.

કેબિનેટ મંત્રી હરજોત સિંહ બેન્સે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પંજાબના વિકાસની ગતિમાં સતત અવરોધ ઉભી કરી રહી છે. કેન્દ્ર સરકારે ગ્રામીણ વિકાસ ફંડ અને રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનમાંથી કરોડો રૂપિયા રોકી લીધા છે. પંજાબમાં થઈ રહેલી રેકોર્ડ પ્રગતિ અને લોકોને આપવામાં આવી રહેલી સુવિધાઓને કારણે કેન્દ્ર સરકારના પેટમાં તેલ રેડાઇ રહ્યું છે.

Punjab News

શ્રી આનંદપુર સાહેબની મુલાકાત દરમિયાન બેન્સે જણાવ્યું હતું કે, 67 ગામોની પાણી પુરવઠા યોજનાઓ અને ઊંડા ટ્યુબવેલ લગાવીને દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું અભિયાન અસરકારક બની રહ્યું છે. અનેક ગામોમાં પાણી પુરવઠાની કામગીરી ચાલી રહી છે, કેટલાક ગામોમાં તે શરૂ થવા જઈ રહી છે અને અનેક ગામોમાં પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે.

લોદીપુરમાં કેબિનેટ મંત્રીનો ખાસ કાર્યક્રમ આપણા MLA આપણા અંતર્ગત લોદીપુર ખાતે જાહેર સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, શ્રી આનંદપુર સાહિબના વિકાસ માટેની યોજનાઓ લોકોના અભિપ્રાય સાથે તૈયાર કરવામાં આવશે.

જનતાના અભિપ્રાય વિના વિકાસના કામો તેમના પર લાદવામાં આવશે નહીં. આ પ્રસંગે માસ્ટર હરદયાલ, જસવીર સિંઘ, દીપક સોની, ડૉ. રણવીર સિંઘ, દવિન્દર શિંદુ, શમ્મી બરારી, હરદીપ સિંહ દીપા, ટિંકા ટાપરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X