પંજાબઃ રાજ્યસભા માટે નૉમિનેટ થવા પર રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલનો આભાર માન્યો
પંજાબઃ રાજ્યસભા માટે નૉમિનેટ થવા પર રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલનો આભાર માન્યો
પંજાબમાં રાજ્યસભાના સભ્ય માટે નામાંકિત કર્યા બાદ પંજાબના આપ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ મારા માટે બહુ મોટી વાત છે, મારી માતા સાથે આજે હું રાજ્યસભા માટે નોમિનેશન ફાઇલ કરવા આવ્યો છું. આવડી મોટી જવાબદારી મને સોંપવા બદલ હું અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનજીનો આભારી છું.

જણાવી દઈએ કે પંજાબમાં આજે એટલે કે સોમવારે રાજ્યસભાની પાંચ સીટ માટે નોમિનેશન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ક્રિકેટર હરભજન સિંહ, IIT દિલ્હીના પ્રોફેસર સંદીપ પાઠક અને પંજાબના આપ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાનાં નામ ઘોષિત કર્યાં છે. આ યાદીમાં એક લવલી પ્રોફેશનલ યૂનિવર્સિટીના ચાંસલર અશોક મિત્તલના નામનું એલાન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાર્ટીએ કૃષ્ણા પ્રાણ બ્રેસ્ટ કેન્સર કેર ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક સંજીવ અરોરાને પંજાબથી રાજ્યસબા માટે નામિત કર્યા છે.
બેબાકી માટે મશહૂર છે
રાઘવ ચઢ્ઢાને બેબાકીથી પોતાની વાત રાખવા માટે ઓળખવામાં આવે છે આ ઉપરાંત તેઓ ન્યૂજ ચેનલોમાં થતી ડિબેટ્સમાં તેઓ તથ્યો પર વાત કરતા જોવા મળતા રહે છે. વર્તમાનમાં રાઘવ ચઢ્ઢા પંજાબના આપ સહ પ્રભારી છે.
રાઘવ ચઢ્ઢાનો જન્મ 11 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમણે પોતાનો શરૂઆતી અભ્યાસ દિલ્હીના મોડર્ન સ્કૂલેથી કર્યો જે બાદ તેમણે દિલ્હી વિશ્વવિદ્યાલયના સાઉથ કેમ્પસના વેંકટેશ્વર કોલેજથી સ્નાતક કર્યું. રાઘવ ચઢ્ઢાએ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સથી EMBAની ડિગ્રી હાંસલ કરી. પોતાના શરૂઆતી કરિયર દરમિયાન તેઓ ડેલૉઇટ અને ગ્રેટ થૉર્નટન સહિત કેટલીય અન્ય કંપનીઓમાં ચાર્ટર્ડ અકાઉન્ટની નોકરી કરી. આમ આદમી પાર્ટીના યુવા નેતા રાઘવ ચઢ્ઢાને બેડમિંટન રમવું પસંદ છે અને તેઓ સ્ટેટ લેવલ સુધી બેડમેન્ટન રમી ચૂક્યા છે. તેમના ફેવરિટ ખેલાડીઓમાં સચિન તેંડુલકર અને બ્રાયન લારા સામેલ છે.












Click it and Unblock the Notifications
